7.9.13

કેવડાત્રીજઃ

કેવડાત્રીજઃ જેના પ્રતાપે પાર્વતીજીને શિવજી મળ્યા

==========

વ્રત કથા - મોક્ષદા

જાનીતપાર્વતીજીએ પણ વિશ્વેશ્વર મહાદેવને પોતાના પતિ તરીકે પામવા, આ દિવસે વ્રત વિધિ-વિધાન, ઉપવાસ કરીને સદાશિવની પૂજન-વિધિ કરી હતી.

આ વ્રતના પ્રતાપે જ તેમને ભોળાનાથ જેવા સ્વામી મળ્યા હતા

કેવડાત્રીજને હરતાલિકા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. પાર્વતીજીની સખી હરિતાના નામ પરથી આ વ્રતનું નામાભિધાન થયું છે. આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે આવે છે. જે પરિણીત સ્ત્રી અને કુમારિકા બંને કરી શકે છે. પરિણીત સ્ત્રી અખંડિત સૌભાગ્યની વૃદ્ધિ માટે અને ઉમા-મહેશ્વરની પ્રસન્નતા અર્થે આ વ્રત કરે છે. અખંડ સૌભાગ્ય અને પતિ તરફથી ઉત્તમ સુખ તથા રિદ્ધિ-સિદ્ધિ એ પ્રત્યેક આર્યનારીના જીવનની અભિલાષા હોય છે. કુમારિકા પોતે યોગ્ય પતિ મળે તે માટે કેવડાત્રીજનું વ્રત કરે છે.

પાર્વતીજીએ પણ વિશ્વેશ્વર મહાદેવને પોતાના પતિ તરીકે પામવા, આ દિવસે વ્રત વિધિ-વિધાન, ઉપવાસ કરીને સદાશિવની પૂજન-વિધિ કરી હતી. આ વ્રતના પ્રતાપે જ તેમને ભોળાનાથ જેવા સ્વામી મળ્યા હતા. આ દિવસે પરિણીત સ્ત્રી કે કુમારિકાએ પ્રાતઃકાળે ઊઠી તલ અને આમળાંનાં ચૂર્ણથી સ્નાન કરવું અને રેશમી વસ્ત્ર પરિધાન કરી શિવજીના મંદિરે જઈ કેવડાનું પુષ્પ શિવલિંગ પર ચડાવીને, વિવિધ મંત્રો બોલતાં-બોલતાં પ્રદક્ષિણા કરી પુષ્પાંજલિ અર્પવી. પરિણીત સ્ત્રીએ નિર્મળ મનથી, પવિત્ર ભાવથી શિવવંદના કરી, અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય અને રિદ્ધિ-સિદ્ધિ સાંપડે એવી પ્રાર્થના કરવી. આ દિવસે ફળાહાર કરવો. જો શક્ય હોય તો નકોરડો ઉપવાસ કરવો. બ્રહ્મચર્યનું પાલન કરવું અને શિવજીના ધ્યાનમાં આખો દિવસ વ્યતીત કરવો.

શિવજીને એક દિવસ પાર્વતીએ પૂછયું: "પ્રભુ! કાળબળની સામે ટકી રહેનાર એવું કયું વ્રત છે કે જેનાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય?"

શિવજી કહે છેઃ "દેવી! એ હરતાલિકા વ્રત છે. એનું વિધિવિધાન આ પ્રમાણે છે."

"અખંડ સૌભાગ્ય ઇચ્છતી પરિણીત સ્ત્રીએ ભાદરવા સુદ ત્રીજના રોજ આ વ્રત કરાય. તમે તે વ્રત મને પામવા માટે કેવી રીતે કરેલું તે યાદ છે ને? તમે ૧૨ વર્ષ શીર્ષાસન કર્યું હતું, ૬૪ વર્ષ સુધી માત્ર પાનનો જ આહાર કર્યો હતો. શિયાળામાં પણ ઠંડા પાણીએ સ્નાન કર્યું હતું. ઉનાળામાં અસહ્ય તાપ વેઠી અન્ન-જળનો ત્યાગ કર્યો હતો. તમે એવી ઉગ્ર તપશ્ચર્યા કરી હતી ત્યારે નારદજીએ તમારા વિવાહ ભગવાન વિષ્ણુ સાથે થાય તેવું સૂચન કર્યું હતું, તેથી તમે સહેલીઓ સાથે એક ગાઢ જંગલમાં ચાલ્યાં ગયાં હતાં. જંગલમાં જ તમે સખી હરતાલિકાનો સાથ લઈ માટીનું એક કલાત્મક શિવલિંગ બનાવ્યું હતું.

સ્નાનવિધિથી પરવારી તમે તથા હરતાલિકાએ જંગલમાંથી વનસ્પતિ તથા પુષ્પો લાવી શિવલિંગ પર ચઢાવીને પૂજા કરી હતી. વનસ્પતિની સાથે દેવોને વર્જ્ય એવું કેવડા પુષ્પ પણ ચઢાવ્યું હતું અને સ્તુતિ કરીને ભાવભક્તિથી પૂજન કર્યું હતું. તમે વર્જ્ય કેવડા પુષ્પ પ્રેમથી ચઢાવ્યું હતું, પરંતુ સાથે કઠોર તપ પણ કર્યું, તેથી ભાદરવા સુદ ત્રીજના દિવસથી કેવડા પુષ્પ દ્વારા થતી પૂજાનો સ્વીકાર કરવાનું મેં નક્કી કર્યું. હે દેવી! તમે આ વ્રતના ફળસ્વરૂપ મને પતિ તરીકે પામ્યાં હતાં. આપણાં બંનેનાં લગ્ન તમારી પ્રિય સખી 'હરિતા'ના પ્રતાપે જ થયાં હતાં. તેથી એટલે જ આ વ્રતનું નામ હરતાલિકા છે."

"કેવડાત્રીજ એટલે કેવડાનું માહાત્મ્ય. દર ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા પુષ્ય ચઢાવી સાથે શિવ-પાર્વતીનું પૂજન કરવું અને મંદિરમાં કેવડો મૂકવો. સૌભાગ્ય શૃંગાર ચીજવસ્તુઓનું બ્રાહ્મણોને દાન આપવું. આ વ્રત ભક્તિભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક કરવાથી સૌભાગ્યવતી સ્ત્રીને તેમજ કુમારિકાને મંગલ અને સુખદાયી જીવનનું સૌભાગ્ય મારી કૃપાથી સાંપડે છે અને મનોકામના પૂર્ણ થાય છે. શિવભક્તિમાં જેટલું ઉત્તમ બળ હશે, તેટલું જ તેનું ઉત્તમ ફળ મળે છે."   

=========================

welcome to our page don't' forget to like us.

https://www.facebook.com/MAHUVA364290https://www.facebook.com/MAHUVA364290

फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290