14.9.13

અમરનાથના માર્ગે કરી હતી શિવે આ લીલા,

Amarnath Shiva Had Before Leaving For Work, The House Will Know!

અમરનાથના માર્ગે કરી હતી શિવે આ લીલા, જાણશો તો ચોકી જશો............!

ભગવાન શિવના તીર્થ-સ્થળોમાં બાબા અમરનાથની ગુફા પૂરી દુનિયામાં પ્રસિદ્ધ છે. ગુફામાં બનનારા શિવના હિમ સ્વરૂપ શિવલિંગ આસ્થા 
અને વિશ્વાસનું મુખ્ય કારણ છે. આ યાત્રાની શરૂઆતને લઈને ગુફા સુધી પહોંચવાના માર્ગમાં અનેક પડાવ સ્થળો આવે છે.
 આ સ્થળોની પ્રાકૃતિક સુંદરતા અને આ સ્થાન સાથે જોડાયેલા પૌરાણિક મહત્વને લીધે જે આત્મિક આનંદ અને આધ્યાત્મિક અનુભવ મળે છે,
 તે આસ્થા અને શ્રદ્ધાને વધુ ઊંડી બનાવે છે.

અમરનાથની ગુફાનું પૌરાણિક મહત્વ ભગવાન શંકરની માતા પાર્વતીની અમરકથાનું રહસ્ય સાંભળા સાથે જોડાયેલ છે. જ્યારે ભગવાન શંકરે
 માતા પાર્વતીના આગ્રહથી અમરતાનું રહસ્ય ઉજાગર કરવાનો નિર્ણય લીધો અને ગુફા તરફ પ્રસ્થાન કર્યું.
 ત્યારે ગુફામાં જતા પહેલા તેમને રસ્તામાં કેટલાક એવા કામ કર્યા, જે શિવભક્તોની દ્રષ્ટિએ નિરાળા હતા. 
પરંતુ એના દ્વારા જ ગુફાએ જતા પહેલાના રસ્તાનો દરેક વિસ્તાર મંગળકારી થઈ ગયો. જાણો ગુફામાં
 જતા પહેલા ભોલેનાથે કંઈ જગ્યાએ કયા અનોખા કામ કર્યા....

વાસ્તવમાં ભોલેનાથે અમરકથાનું રહસ્ય એકાંતમાં સંભળાવવા માટે અલગ-અલગ સ્થાનોએ પોતાના વાહનો અને પુત્ર વગેરેને છોડી દીધા.
 એટલા માટે એ બધા જ સ્થાન સમાન મહત્વ ધરાવે છે.

અમરનાથ યાત્રા ઉપર જવા માટે બે માર્ગ છે- એક પહેલગામ અને બીજો સોનમાર્ગ બાલટાલથી. અહીં પુરાણો પ્રમાણે ભગવાન શંકર 
પહેલગામનો રસ્તો ગુફા પહોંચવાના એ માર્ગમાં આવેલ મુખ્ય સ્થાનમાં આ રીતે હતું. જાણો આ સ્થાનોની ભગવાન શિવ સાથે જોડાયેલી રોચક વાતો....

પહેલગામઃ-

(પહલગાવ) જ્યારે શંકર ભગવાને પાર્વતીને અમરકથા સંભળવવા માટે ગુફા તરફ ચાલ્યા,ત્યારે તેમને સૌથી પહેલા પોતાના વાહન નદીને 
આ સ્થાને છોડી દીધી હતો. જ્યારે નંદી શિવના ગણ, સેવક અને પરમ ભક્ત બતાવવામાં આવે છે. આ સ્થાનનું નામ આગળ ચાલીને પહલગામ થયું.
 આ શ્રીનગરથી 96 કિ.મી. દૂરચે. તે પર્વતોથી ઘેરાયેલ વિસ્તાર છે અને સુંદર કુદરતી દ્રશ્યો માટે પણ સમગ્ર દુનિયમાં જાણીતું છે. તે લિદ્દર નદીની પાસે વસેલું છે.

ચંદનવાડીઃ-

પહેલગામ પછી પહેલો પડાવ ચંદનવાડી છે કે બીજા અર્થમાં અમરનાથની શરૂઆત ચંદનવાડીથી થાય છે.તે પહેલગામથી 16 કિ.મી. દૂર છે. 
માન્યતા છે કે ગુફામાં એકાંત માટે ભગવાન શંકરે આસ્થાને એક બીજું કામ કર્યું. ચંદ્રમૌલી કહેવાતા ચંદ્રને શિવ અહીં ત્યાગ કરી દીધો હતો. 
ચંદ્રને ભગવાન શંકરે અહીં રાહ જોવાનું કહ્યું હતું. એટલા માટે તેનું નામ ચંદનવાડી પડ્યું. લિદ્દર નદીના કિનારે આ પડાવની યાત્રા આસાન હોય છે.
 અહીં રસ્તો વાહનો દ્વારા પણ પૂરો કરી શકાય છે..

પિસ્સૂ ટોપઃ-

ચંદનવાડીથી થોડે આગળ જતા જ પિસ્સૂટોપ આવે છે. તેનું પૌરાણિક મહત્વ અમરનાથના દર્શન સાથે જોડાયેલ છે.
 તે પ્રમાણે જ્યારે દેવ અને દાનવોની વચ્ચે અમરનાથના દર્શન કરવા માટે સંઘર્ષ થયો ત્યારે દેવતાઓએ શિવની શક્તિ પ્રાપ્ત કરીને દાનવોનો વધ
 કરીને એટલો ઢગલો કર્યો કે ત્યાં દાનવોનો પહાડ બની ગયો. જે પિસ્સૂ ટોપના નામથી ઓળખવામાં આવે છે. એક અન્ય માન્યતામાં શિવે
 આ જગ્યાએ પોતાની ઊંડી જટાઓમાંથી પિસ્સૂને પણ કાઢી ફેક્યા હતા.

શેષનાગઃ- 

ચંદનવાડી થી પિસ્સૂ ટોપ થઈને યાત્રાનો આગામી ચરણ શેષનાગ હોય છે. તેનું મહત્વ એ છે કે અહીં ભગવાન શિવે પોતાના ગળાના 
હાર અર્થાત્ નાગને ઉતારી દીધા હતા. અહીં નીલવર્ણી ઝીલ છે, જેના વિશે એવી માન્યતા છે કે તેમાં શેષનાગ રહે છે. અહીં સાત પર્વતોની ટેકરીઓ પણ છે.
 જેને શેશનાગની સાત પ્રતીક ફેણઓનું પ્રતીક માનવામાં આવે છે. આ ચંદનવાડીથી 12 કિ.મી. દૂર સ્થિત છે.

મહાગુનાસ પર્વત -

શેષનાગથી લગભગ 4 થી 5 કિલોમિટર આગળ જવાથી મહાગુનાસ પર્વત આવે છે. આ 14000 ફિટ ઉંપર પર આવેલુ છે. 
માન્યત છે કે ભગવાન શિવે પોતાના પ્રિય પુત્ર શ્રી ગણેશને અહીંયા છોડી દીધા હતા. એટલા માટે આ સ્થાનનું નામ મહાગણેશ થયું, 
જે આગળથી ચાલીને મહાગુનાસ પર્વતના નામથી પ્રસિદ્ધ થયું. આ સ્થાન પર અનેક ઝરણા, જળ પ્રપાત અને ચશ્મા અને મનોરમ પ્રાકૃતિક દ્રશ્ય જોવા મળે છે
. અહીંયા ઠંડક ઘણી વધી જાય છે.

પંચતરણીઃ-

મહાગુનાસ પર્વતથી આગળનો પડાવ છે પંચતરણી, જે મહાગુનાસ પર્વતથી 6 કિ.મી. દૂર છે. તે મહાગુનાસની નીચે તરફ સ્થિત છે. 
અહીં 12,500 ફિટની ઊંચાઈ છે. એવું માનવામાં આવે છે. કે ભગવાન શંકરે અહીં પંચમહાભૂતો અર્થાત્ આકાશ, વાયુ, જળ, અગ્નિ અને
 પૃથ્વીનો ત્યાગ કર્યો હતો. અહીં પાંચ નદીઓનો સંગમ પણ છે. તે ભૈરવ પર્વતની તળેટીમાં વસેલું છે. એવી માન્યતા છે કે અહીં વહેતી 
પાંચ નદીઓ ભગવાન શિવની જટાઓમાંથી નિકળી હતી.

પવિત્ર અમરનાથ ગુફાઃ-

પંચતરણી યાત્રાનો અંતિમ પડાવ હોય છે. ત્યારબાદ પવિત્ર અમરનાથ ગુફાનું અંતર 6 કિ.મી. છે. ગુફા 13,500 ફિટની ઊંચાઈ ઉપર સ્થિત છે. 
આ દરમિયાન 3 કિ.મી.ના માર્ગ બરફથી ઢંકાયેલો હોય છે. આ બરફની નદીને પાર કર્યા પછી મુખ્ય ગુફાના દર્શન થાય છે. આ માર્ગ દુર્ગમ હોય છે. 
આ લગભગ 100 ફિટ લાંબી અને 150 ફિટ પહોંળી છે. તેમાં હિમ શિવલિંગ બને છે આ ગુફામાં ભગવાન શંકરે માતા પાર્વતીને અમરતાનું રહસ્ય બતાવ્યું હતું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290