15.9.13

સ્ત્રીના રૂપ સાથે જોડાયેલી ગુપ્ત વાતો...........!

Ancient Hindu Religion Books Disclose Hide Aspects Of Woman's Beauty


સદીઓ જૂના આ પુસ્તકમાં કહી છે સ્ત્રીના રૂપ સાથે જોડાયેલી ગુપ્ત વાતો...........!


પ્રેમને જાણવા સમજવા માટે ઘણી રીત હોય છે.જો ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો સત્ય,પ્રેમની ભાવના અને ક્ષમાભાવ જ પ્રેમ વધારે છે. પ્રેમ જો શરીર સુધી સિમિત રહી જાય તો તે વાસના બની જાય છે,પણ મન સુધી પહોચી જાય તો તે ભાવના બની જાય છે અને આત્માને સ્પર્શ કરી સાધના બની જાય છે.આ અંગે સદીઓ પહેલા ઉજૈજનના ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્યના મોટા ભાઈને સ્ત્રી મોહ અને પ્રેમમાં સપડાવાને કારણે દગો મળ્યો અને ફરી રાજા હોવાથી પ્રતિશોધની જગ્યાએ ક્ષમા ભાવની સાથે સ્ત્રી પ્રેમને આત્માજ્ઞાનના રૂપમાં જીવનમાં ઉતારી,સ્ત્રી અને તેના સૌંદર્ય સાથે જોડાયેલી ઘણી આંખો ખોલનારી વાતો ઉજાગર કરવી રોચક હોવાની સાથે સ્ત્રીનો માત્ર મોહ અને આકર્ષણમાં સપડાઈ પતનના માર્ગે ન જવાની સલાહ પણ આપે છે.

સદીઓ જુના તેમના પ્રસિધ્ધ પુસ્તકમાં સમાયેલી આ વાતો હિન્દુ ધર્મ અને સાહિત્યનુ મહત્વનુ અંગ છે.જાણો કોણ હતા રાજા વિક્રમાદિત્યના મોટા ભાઈ?

આગળ જાણો સદીઓ જુના તેમના પુસ્તકમાં સમાયેલી સ્ત્રી અને તેના સૌદર્ય સાથે જોડાયેલી વાતોને કેવી રીતે કરાઈ છે ઉજાગર.

રાજા વિક્રમાદિત્યના મોટાભાઈ હતા રાજા ભર્તુહરિ.રાજા ભર્તૃહરિ ન્યાય,નીતિ,ધર્મશાસ્ત્ર,ભાષા,વ્યાકરણના વિદ્વાન હોવાથી સાથે પ્રજા અને પ્રકૃતિના ચાહક પણ હતા.તે ધર્મ વિરોધીઓને સખત સજા આપવાનુ પણ ન ચૂકતા.તે ધર્મનિષ્ઠ,દાર્શનિક અને અમરયોગી પણ માનવામાં આવતા હતા.તેઓ વૈરાગી હોવાની સાથે તેમના જીવનનો એક મહત્વપૂર્ણ પ્રસંગ પણ જોડાયેલો છે.

રાજા ભર્તૃહરિ જ્ઞાની અને 2 પત્નીઓ હોવા છત્તા પિંગલા નામની અતિ સુંદર રાજકુમારી પર મોહિત થયા હતા.રાજાએ પિંગલાને ત્રીજી પત્ની બનાવી.પિંગાલાના રંગ રૂપથી રાજા વિલાસી બની ગયા.પિગંલાના મોહમાં તે તેની તમામ વાતો માનવા લાગ્યા.તેના ઈશારે બધા કામ કરવા લાગ્યા.પિંગલા તેનો ફાયદો ઉઠાવતા વ્યાભિચારી થઈ ગઈ.તે તબેલાની રખેવાળી કરનારના પ્રેમમાં પડી ગઈ.રાજા પિંગલાના બનાવટી પ્રેમને ઓળખી જ ન શકયા.

જ્યારે નાનાભાઈ વિક્રમાદિત્યને આ વાત ખબર પડી તો ત્યારે તેમણે પોતાના મોટાભાઈને આ વાત જણાવી.રાજાએ પિંગલાની ચાલાકીથી ભરેલી વાતો પર વિશ્વાસ કર્યો અને વિક્રમાદિત્યની વાતને ખોટી માની તેમને રાજ્ય નિકાલ આપ્યો.

આ વાતના વર્ષો વિત્યા બાદ પિંગલાની ચારિત્ર્યહીનતા ત્યારે ઉજાગર થઈ જ્યારે એક તપસ્વી બ્રાહ્મણે ઘોર તપસ્યાથી દેવતાઓ પાસેથી વરદાનમાં મળેલ અમર ફળ રાજાને અમર કરવાની ઈચ્છાથી ભેટ આપ્યુ.રાજાએ તેને પિંગલાને આપી દીધુ,કારણ કે તેનાથી પિંગલાનુ સૌંદર્ય અને સુખ જળવાઈ રહે.પરંતુ પિંગલાએ તે તબેલાની રખવાળી કરનારને આપી દીધુ.એ રખેવાળે તે વૈશ્યાને આપ્યુ,જેને તે પ્રેમ કરતો હતો.વૈશ્યાએ એ વિચાર્યુ કે અમર ફળ ખાવાથી જીવનભર તે પાપ કર્મમાં ડૂબી રહેશે.

આગળ જાણો અમર ફળને જોઈ રાજાએ શું કર્યુ....

રાજા ભર્તૃહરિના પિંગલાને આપેલ ફળ વૈશ્યા પાસે જોઈ હોશ ઉડી ગયા.તેમના ભાઈની વાતો અને પિંગલાનો વિશ્વાસઘાત તેમને સમજાયો.રાજાની આંખો ખુલી ગઈ અને પિંગલા માટે ધૃણા જાગી.પિગંલાએ તુરંત રાજા પાટ છોડી દીધુ.આત્મજ્ઞાન થતા રાજા ભર્તૃહરિએ ભર્તૃહરિ શતક ગ્રંથમાં સમાયેલ "શ્રૃંગાર શતક"માં સૌદર્ય સાથે જોડાયેલા તમામ પાસાને ઉજાગર કર્યા,જેને કોઈ મનુષ્ય નથી કરી શકયુ.

આગળ જાણો શું છે સ્ત્રીઓના સ્વભાવ અને રૂપરંગ સાથે જોડાયેલી ખાસ વાતો....

स्मितेन भावेन च लज्जया भिया
परांमुखैरर्द्ध कटाक्ष वीक्षणैः।
वचोभिरीर्ष्या कलहेन लीलया।
समस्त भावैः खलु बन्धानं स्त्रियः।।

સરળ શબ્દોમાં તેનો અર્થ થાય છે કે સ્ત્રીનુ મોહિત કરનારુ હળવુ હાસ્ય,સરમાવુ,ફરિયાદનો ભાવ,મીઠા બોલ આ તમામ પ્રકારના ભાવ કોઈ પણ સંસારિક વ્યકિતને બંધમાં બાંધી દે છે અને મોહ જાળમાં ફસાવી શકે છે.

આગળ જાણો અન્ય શ્લોક અને તેનો અર્થ....

स्मितं किंचिद्वक्त्रे सरलतरलो दृष्टविभवः
परिस्पन्दो वाचामभिनवविलासोक्ति सरसः।
गतानामारम्भः किसलयितलीलापरिकरः
स्पृशन्त्यस्तारुण्यं किमिह न हि रम्यं मृगदृशः।।

આ શ્લોકનો સાર છે કે યુવતીઓના તમામ અંગથી સૌદર્ય છલકાય છે.ચાંદ જેવો ચહેરો,મંદ હાસ્ય,કુદરતી અને ચંચળ નજર,હાવ-ભાવ અને ઈશારાની સાથે વાતચીત કરવી,વગેરે તેની સુંદરતામાં સમાયેલુ હોય છે.

આગળ જાણો સ્ત્રીની સુંદરતાના વર્ણન અંગે..

.वक्त्रं चंद्रविकासि पंड्कज परीहासक्षमे लोचने
वर्णः स्वर्णमपाकरिष्णुरलिनीजिष्णुः कचानांचयः
वक्षोजाविभकुंभसंभ्रम हरौ गुवी नितम्बस्थवाचां हारि च मार्दवं युवतिष स्वाभाविकं मण्डनम्।।

પૂનમના ચાંદ જેવા ચહેરા વાળી,કમળની સુંદરતા ફીકી પાડી દેતી તેની આંખો,સોના જેવુ શરીર,લહેરાતા વાળ,મીઠો અવાજ,કદ કાઠી વાળી કાયા સ્ત્રીના સ્વાભાવિક ઘરેણા છે.તેનાથી તે સાજ શણગાર ન પણ કરે તોય તે ખુબ સુંદર લાગે છે.

આગળ જાણો અન્ય વર્ણન વિશે....

एताश्चलद्वलय सहतिमेलोत्थ
झंकारनूपुर पराजित राजहंस्यः।
कुर्वन्ति कस्य न मनो विवशं तरुण्यो
वित्रस्त मुग्धहरिणी सदृशैः कटाक्षैः।।

સ્ત્રીના કંગનનો અવાજ,પાયલનો અવાજ અને ચાલવાની અદા,રાજ હંસિની જેવી ચાલને પણ પાછી પાડી દે.આવી સુંદરત આંખો વાળી સ્ત્રીઓ મનને વશીભૂત નથી કરતી.

આગળ જાણો સ્ત્રીની ચંચળતા વિશેની વાતો...

धन्यास्त एव तरलायतलोचनानाम्।
तारुण्य रूप धन पीनपयोधराणाम्।
क्षामोदरीपरिलसत्यिवलीलतानाम्
दृष्टवाकृतिं विकृतिमेति मनो न येषाम्।।

સુંદર અને ચંચળ આંખો વાળી,જુવાન,પાતળી કમર વાળી,સુંદર રંગ-રૂપ વાળી સુંદરી જોઈને જે પુરુષોનુ મન ડામાડોળ નથી થતુ તે ધન્ય છે.

આગળ જાણો સ્ત્રીઓ વિશેની અન્ય રોચક વાતો.....

मालती शिरसि जृम्भणोन्मुखी
चन्दनं वपुषि कुंकुमान्वितम्।
वक्षसि प्रियतमा मनोहरा
स्वर्ग एष परिशिष्ट आगतः।।

જેના ગળામાં માલતીના ફુલની કળીઓની સુંગધીત માળા હોય.કેશર ચંદનનો લેપ શરીર પર લગાવેલો હોય,વાળ સલહેરાતા હોય એવી સ્ત્રીનુ નજીક આવવુ અને સાથે સમય પસાર કરવાની પળ સ્વર્ગના સુખને પણ પાછળ છોડી દે છે.

આગળ જાણો પ્રેમિકા વિશેની વાતો....

आदर्शमे दर्शन मात्र कामा
दृष्टवा परिष्वंग सुखैक लोला।
आलिंगितायां पुनरायताक्ष्या
माश्यास्महे विग्रहयोरभेदम्।।

જ્યારે વ્યકિત પોતાની પત્ની કે પ્રેમીકા ન દેખાય ત્યારે તેને જોવા વધારે આતુર હોય છે.જ્યારે તે સામે આવે છે તો મિલન માટે આતુર થઈ જાય છે અને મિલન બાદ એવી ઈચ્છા થાય છે કે તેઓ કયારેય એકબીજાથી અલગ ન થાય.

આગળ જાણો ચંચળ આંખોના વર્ણન અંગે...

तावदेव कृतिनामपि स्फुरत्येष निर्मूल विवेक दीपकः
यावदेव न कुरंग चक्षुषा ताड्यते चपललोचनांचलैः।।

હિરણ સમાન ચંચળ આંખો વાળી સ્ત્રીના આંચલની હવા જ્યાં સુધી સ્પર્શ નથી કરતી ત્યાં સુધી જ મોટા વિદ્વાનોનો વિવેક કામ કરે છે.

આગળ જાણો ભેદભાવ અંગની વાતો વિશે...

सत्यं जन वच्मि न पक्षपाता
ल्लोकेषु सर्वेषु च तथ्यमेतत्
नान्यन्मनोहरि नितम्बनीभ्यो
दुःखैकहेतुर्न च कश्चिदन्यः।।

એ વાત સાચી છે કે તમામ લોકમાં તમામ સુખોનુ મૂળ કામિની સ્ત્રીઓને છોડી કોઈ અન્ય સ્ત્રીમાં નથી.પરંતુ આ જ સ્ત્રીઓ ઘણા દુઃખોનુ કારણ બને છે.

આગળ જાણો સ્ત્રીઓ પાસેથી અમૃતની જેમ કઈ રીતે સુખ મળે....

तावदेवामृतमयी यावल्लोचन गोचरा।
चक्षुः पथादपगता विषादप्यतिरिच्यते।।

જ્યારે સ્ત્રીઓ પાસે હોય છે ત્યારે અમૃતની જેમ સુખ મળે છે.પરંતુ દૂર જાય છે ત્યારે જેરની જેમ સંતાપ ન દુઃખ થાય છે.

આગળ જાણો કેવા કામ મુશકેલ નથી.....

संसार तव निस्तार पदवी न दवीयसी।
अन्तरा दुस्तर न स्युर्यदि ते मदिरेक्षणा।।

જો કોઈ સુંદર સ્ત્રીની રાહમાં ન આવે તો સંસાર માંથી ઉગરવુ કોઈ મુશકેલ કામ નથી.

આગળ જાણો પ્રેમમાં વશીભૂત કેમ થઈ જવાય છે....

उन्मत्तप्रेमसंरम्भादरभन्ते यदंगनाः।
तव पत्यूहमाधातुं ब्रह्मापि खलु कातरः।।

સાર માત્ર એટલો જ છે કે પ્રેમમાં વશીભૂત સ્ત્રી જે કામ કરે છે તે બ્રહ્મદેવ પણ નથી રોકી શકતા.એટલે કે જ્યારે તેઓ નથી રોકી શકતા તો અન્ય લોકો કેવી રીતે રોકી શકે.

આગળ જાણો મીઠી અને પ્રેમ ભરી વાતો વિશે....

प्रणयमधुराः प्रेमोदगाढ़ा रसादलसास्तथा
भणितमधुराः मुग्धप्रायाः प्रकाशित सम्पदाः।
प्रकृति सुभगा विश्रसम्भार्हाः स्मरोदयायिनी।
रहसि किमपि स्वैरालापा हरन्ति मृगो दृशाम्।।

એકલતામાં જ્યારે બે સ્ત્રીઓ વાતો કરતી હોય તો તેમની મીઠી મીઠી પ્રેમ ભરી વાતો,અવાજ કે ગોપનીય વાતો કોઈ પણ મનને મોહી લે છે.

આગળ જાણો સ્ત્રીને કેમ અબળા કહે છે કવિઓ...

नूनं हि ते कविवरा विपरीत बोधा
ये नित्यमाहुरबला इति कामिनीनाम्।
याभिर्विलोलतरतारक दृष्टिपातै
शक्रादयोपि विजितास्त्वबलाः कथं ताः।।

સાર છે કે જે કવિ સ્ત્રીઓને અબળા કહે છે તે ખોટા છે,કારણ કે તેમની ચંચળ આંખોની આગળ તાકાતવાર વ્રજ રાખનાર ઈન્દ્રદેવ પણ હાર માની લે છે.તો સ્ત્રી અબળા કેવી રીતે કહેવાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290