23.11.13

લગ્ન પહેલા રાશિ જોઈ કરજો નિવારણ, નહીં તો જીવન થશે દોષિત.........

Marriage Kundali Marriage 2013-2014 Bhakut Dosha In Kundali Gujarati

લગ્ન પહેલા રાશિ જોઈ કરજો નિવારણ, નહીં તો જીવન થશે દોષિત......................

કોઈપણ સફળ લગ્ન માટે તેનું શુભ હોવું ખૂબ જ જરૂરી છે. લગ્નના સમયે જો કુંડળીમાં ભકૂટ દોષ હોય તો ભાવી દંપતીના ગુણ મેળાપક માન્ય નથી થતો, તેનું મુખ્ય કારણ એ છે કે 36 ગુણોમાંથી ભકૂટ માટે 7 ગુણ નિર્ધારિત હોય છે. ભકૂટ દોષ દામપત્ય જીવનની જીવનશૈલી, સામાજિકતા, સુખ-સમૃદ્ધિ, પ્રેમ-વ્યવહાર, વંશ-વૃદ્ધિ વગેરેને પ્રભાવિત કરે છે. પરંતુ તેનું પરિહાર(કાટ) જો વર-વધુની કુંડળીમાં ઉપલબ્ધ હોય તો દોષનું નિવારણ થઈ જાય છે.

ભકૂટ દોષનો પ્રભાવઃ-

ભકૂટ દોષનો નિર્ણય ધીણવટથી કરવો જોઈએ. શાસ્ત્રોમાં ભકૂટ દોષ નિવારણના અનેક ઉદાહરણો ઉપલબ્ધ છે. પરિહાર મળે તો લગ્નનો નિર્ણય લેવો શાસ્ત્ર સંમત છે. દ્વિર્દ્ધાદશ ભકૂટમાં લગ્ન કરવાનું ફળ નિર્ધનતા હોય છે. નવ-પંચમ ભકૂટમાં લગ્ન કરવાથી સંતાનને કષ્ટ થાય છે. ષડાષ્ટક ભકૂટદોષના કારણે વિવિધ પ્રકારના કષ્ટોની સાથે શારીરિક કષ્ટની સંભાવના રહે છે. ભકૂટ દોષ શાસ્ત્ર સંમત પરિહાર ઉપલબ્ધ હોય તો દોષ સમાપ્ત થઈ જાય છે અને લગ્ન જીવન સુખદ રીતે વિતે છે.

આગળ વાંચો આ દોષ વિશેની સંપૂર્ણ જાણકારી તથા તમારી રાશિમાં કંઈ રાશિ સાથે ભકૂટદોષ પેદા થઈ શકે છે ક્લિક કરો....

ભકૂટના આધારે લગ્નની શુભાશુભ અસરોઃ-

-શુદ્ધ ભકૂટ અને નાડીદોષ રહિત 18થી વધુ ગુણ હોય તો લગ્ન શુભ માન્ય હોય છે.

-અશુદ્ધ ભકૂટ(દ્વિર્દ્વાદશ, નવપંચમ, ષડાષ્ટક) હોય તો પણ જો મિત્ર ભકૂટની શ્રેણીમાં હોય તો 20થી વધુ ગુણ હોય તો લગ્ન શ્રેષ્ઠ રહે છે.

-શત્રુ ષડાષ્ટક(6-8)ભકૂટ દોષ હોય તો લગ્ન ન કરવા. દામપત્ય જીવનમાં અનિષ્ઠ થવાની સંભાવના રહે છે.

-મિત્ર ષડાષ્ટક ભકૂટ દોષમાં પણ પતિ-પત્નીમાં કલેશ રહેતી હોય છે. આથી ષડાષ્ટક દોષમાં લગ્ન કરવાથી બચવું જોઈએ.

-નાડીદોષની સાથે જો ષડાષ્ટક ભકૂટ દોષ(પછી મિત્ર ષડાષ્ટક હોય અથવા બંને રાશિઓના સ્વામી એક જ ગ્રહ હોય) હોય તો પણ લગ્ન ક્યારેય ન કરવા જોઈએ.

-શુદ્ધ ભકૂટથી ગણદોષનો પરિહાર આપમેળે જ થઈ જાય છે.

ભકૂટ દોષ પરિહારઃ-

વર-કન્યાની રાશિ દ્વારા એકબીજા સાથે ગણતરી કર્યા પછી દ્વિર્દ્વાદશ(2-12) કે એકબીજાની રાશિ આગળ વર-કન્યાના રાશિસ્વામી એક જ ગ્રહ હોય, રાશિ સ્વામીઓમાં પરસ્પર મિત્રતા હોય, પરસ્પર તારા શુદ્ધિ હોય, રાશિ સબળતા હોય, નવમાંશ પતિઓમાં મિત્રતા હોય તો આ પાંચ પ્રકારના પરિહાર પણ દુષ્ટ ભૂકુટ દોષ નિવારક છે. પરંતુ તેમાં પરસ્પર નાડી શુદ્ધી હોવી જોઈએ.હોય(5-9) કે ષડાષ્ટક(6-8) રાશિ ગણનામાં હોય તો ભકૂટ દોષ હોય છે. આ ત્રણ સ્થિતિઓમાં જો બંને રાશિ સ્વામીઓમાં દુશ્મની હોય તો ભકૂટ દોષના કારણ 7માંથી શૂન્ય અંક મળશે. પરંતુ બંનેની રાશિઓના સ્વામી એક જ ગ્રહ હોય અથવા રાશિ સ્વામીઓમાં મિત્રતા હોય ત્યારે લગ્નની અનુમતી આપી શકાય છે. તેમના શાસ્ત્ર સમ્મત પરિહાર આ છે-

ભકૂટ દોષ હોય તો પણ જો વર-કન્યાના રાશિ સ્વામી એક જ હોય કે રાશિ સ્વામીઓમાં મિત્રતા હોય તો ગણદોષ તથા દુષ્ટ ભકૂટ દોષ નગણ્ય થઈ જાય છે.

મેષ રાશિઃ- આ રાશિના જાતકોને વૃષભ, મીન રાશિ સાથે દ્વિર્દ્વાદશ ભકૂટ,

સિંહ, ધન સાથે નવ-પંચમ અને

કન્યા, વૃશ્ચિક રાશિઓ સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

વૃષભ રાશિઃ- આ રાશિના જાતકોને મિથુન, મેષ રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

કન્યા, મકરથી નવ-પંચમ અને

તુલા, ધનરાશિ સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

મિથુન રાશિઃ- આ રાશિને કર્ક, વૃષભ રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

તુલા, કંભુ સાથે નવ-પંચમ અને

વૃશ્ચિક, મકર રાશિની સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

કર્ક રાશિઃ- આ રાશિના જાતકોએ સિંહ,

મિથુન રાશિ સાથે દ્વિર્દ્વાદશ, વૃશ્ચિક, મીન સાથે નવ-પંચમ અને

ધન, કુંભ રાશિની સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

સિંહ રાશિઃ- આ રાશિને કન્યા, કર્ક રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

ધન, મેષ સાથે નવ-પંચમ અને

મકર, મીન રાશિના જાતકો સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

કન્યા રાશિઃ-આ રાશિના જાતકોને તુલા, સિંહ રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

મકર, વૃષભ સાથે નવ-પંચમ અને

કુંભ, મેષ રાશિ સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

તુલા રાશિઃ- આરાશિના જાતકોને વૃશ્ચિક, કન્યા રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

કુંભ, મિથુન સાથે નવ-પંચમ અને

મીન, વૃશ્ચિક રાશિના જાતકો સાથે ષડાષ્ટક ભકૂટ દોષ માન્ય રહેશે.

વૃશ્ચિક રાશિઃ-

આ રાશિના જાતકોને ધન, તુલા રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

મીન, કર્ક સાથે નવ-પંચમ અને

મેષ અને મિથુન રાશિ સાથે ષડાષ્ટક ભૂકૂટ દોષ લાગશે.

ધન રાશિઃ- આ રાશિના જાતકોને મકર, વૃશ્ચિક રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

મેષ, સિંહ સાથે નવપંચમ અને

વૃષભ અને કર્ક રાશિવાળા સાથે ષડાષ્ટક ભકૂટ દોષ માન્ય રહેશે.

મકર રાશિઃ- આ રાશિના જાતકોને કુંભ, ધન રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

વૃષભ, કન્યા સાથે નવ-પંચમ અને

મિથુન અને સિંહ રાશિની સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

કુંભ રાશિઃ- આ રાશિના જાતકોને મીન, મકર રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

મિથુન, તુલા સાથે નવ-પંચમ અને

કર્ક અને કન્યા રાશિના જાતકો સાથે ષડાષ્ટક ભકૂટ દોષ માન્ય રહેશે.

મીન રાશિઃ- આ રાશિના જાતકોને મેષ, કુંભ રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

કર્ક, વૃશ્ચિક સાથે નવ-પંચમ અને

સિંહ અને તુલા રાશિ સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

ઉક્ત વર્ણિત રાશિગત ભકૂટ દોષના પરિહાર સ્વરૂપ જો વર-કન્યા બંનેની રાશિના સ્વામી એક હોય કે બંનેના રાશિ સ્વામીઓમાં મૈત્રી ભાવ હોય તો ભકૂટ દોષ સમાપ્ત થઈ જશે અને તેમનું મિલન શાસ્ત્ર સંમત શુભ હોય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290