23.10.13

કુંડળી મેળાપક


કુંડળી મેળાપક



એકબીજા ને પોત પોતાની સ્થિતિ માટે ભાંડતા દંપતિઓ  મેં જોયા છે. તેમના લગ્ન જીવનથી તેઓને અનેક ફરિયાદો હોયછે. હકીકત તો એ છે કે જ્યોતિષ બતાવવા આવનાર ઘણેભાગે બધાને બીજાઓ થી ફરિયાદ હોય છે અને તેઓ તેમની પરિસ્થિતિ માટે અન્યને જ કોસતા હોય છે. પોતાના દોષ તરફ જોવા તેઓ કદી તૈયાર હોતા નથી. દરેક નો યક્ષ પ્રશ્ન એ જ હોય છે કે "મારી સાથે જ કાયમ આવું કેમ બને છે ?"  ' તે મારી લાગણી ની કેમ ઉપેક્ષા કરે છે?'  'અમારી કુંડળીઓ તો મેળવવામાં આવી હતી, તો પણ ? "

આવી પરિસ્થિતિ સમજવા માટે આપણે એ સમજવું પડશે કે એ કયા કારણ છે જે બે વ્યક્તિઓ ને પતિ-પત્ની ના સંબંધમાં બાંધે છે ?

====================
કોણ બનેછે વર-વહુ ?

સૌ પ્રથમ તો આપણે એ સમાજવું પડશે કે આખરે લાખો માણસોમાંથી કેમ કોઈ ચોક્કસ વ્યક્તિ જ વર કે વહુ બને છે ? ચાલુ જીન્દગી ના સ્તર ઉપર કારણો જે પણ હોય, ખરા કારણો તો કાર્મિક હોય છે. આપણા કર્મોની પાછળ રહેલા આપણા ઉદ્દેશો અને એષણાઓ માંથી વાસનાઓ બનેછે અને વાસનાઓ માંથી તે કર્મોના ફળ નું સર્જન થાય છે.

જે કર્મોનાં ફળ કર્મ થયા પછી ટુક સમયમાં મળીજાય તેને ક્રિયમાણ કર્મ કહેવાય છે. પરંતુ કેટલાક કર્મો એવા હોયછે જેના ફળ પાકતા ખુબ લાંબો સમય લાગે. કર્મોનાં આવા ફળ ભેગા થાય ત્યારે તેને સંચિત કર્મ કહેવાય છે. આ સંચિત કર્મો માં સારા સુખપ્રદ ફળ પણ હોય અને દ:ખ દેનાર ફળ પણ હોય છે. જીવનનાં દરેક મુકામે આવા અનેક સંચિત કર્મ આપણા નામે જમા હોય છે. આ સંચિત કર્મો નાં ફાળો નાં ભોગવટા અર્થે જ આપણે જનમ લઈએ છીએ.

જ્યારે આપણે જીવન માં અન્ય વ્યક્તિઓ સાથે  સંપર્ક માં આવીએ છીએ ત્યારે અરસ-પરસનાં વ્યવહાર માંથી લેંણદેણની જાળ ગૂંથાય છે. આ લેંણદેણની ચુકવણી રોજ-બરોજ થતી રહે છે. પરંતુ જે તે જીવન દરમ્યાન આવી લેંણદેણ પૂરે-પૂરી ચૂકવાઈ જાય તેવું શક્ય હોતું નથી. એક જીવન સમાપ્ત થાય ત્યારે પણ ઘણી બધી લેંણદેણ બાકી જ હોય છે. આ બાકી લેંણદેણ ને ચૂકવવા માટે રચતા સંબંધ ને ઋણાનુંબંધન કહે છે. આવા સંચિત કર્મો ની સંખ્યા, જથ્થો અને તેની ગહેરાઈ ને આધારે બીજા જન્મમાં એક બીજાના સહ-પ્રવાસી, પડોશી, મિત્ર, સાથી કર્મચારી, ગુરુ-શિષ્ય, માબાપ-સંતતિ, સહોદર કે પતિ-પત્ની રૂપે આવીને સંચિત કર્મોનું ભોગાયતન થાય છે.  આમ વણચુકવાયેલ રુણના ખેંચાણથી લોકો એક બીજા ને આવી મળે છે.

આમ આપણા બધા સંબંધો કાર્મિક બંધનો હોય છે. તમે જે વ્યક્તિને અનુલક્ષીને જેવા વિચાર વાસના જન્માવ્યા હશે, પરસ્પર વ્યવહારથી બંને વચ્ચે જે ભાવના અને લાગણીઓ ઉભી કરી હશે તે પ્રમાણે ની ઘટનાઓ તમે અરસપરસ સાથે જીવીને અનુભવી શકો તેવા સંબંધ અને જીવનની તમે રચના પ્રતિપળ કરતા રહો છો. સુખ આપ્યું હશે તો સુખ અને દુખ આપ્યું હશે તો દુખનાં હિસાબ ચુકતે કરવા પડશે. આ બાકી હિસાબો ચૂકવવા માટેનું જે બંધન ઉભું થાય છે તેને ઋણાનુબંધ કહેવાય છે.

હવે તમે સમજી શકશો કે લગ્ન માટે કુંડલી મેળવીને વર કે વહુ શોધવાનું કેવું વાહિયાત છે. તમે તમારા લેણીયાત ને પસંદ કરી શકો નહિ તે તો લેણું વસુલ કરવા આવી જ પહોંચશે. જેની સાથે ઋણાનુબંધ ઉભા થયા છે તેની સાથે જ ભોગાયતન કરવું પડશે. તમે 'અ' સાથે લગ્ન કરો તો સુખી થાઓ અને ' બ ' સાથે લગ્ન કરો તો દુખી થાઓ તેવા સિલેક્શન ને અવકાશ જ નથી.

કુંડળી મેળાપક બહુ બહુતો તમને જેની સાથે તમારું ઋણાનુબંધ છે તે વ્યક્તિ સુધી તમને પહોચાડવા માં નિમિત્ત જરૂર બની શકે. 

=========================
તમારા જીવન સાથી તો ઉત્ક્રાંતિ  નો એજન્ટ છે.

બીજા પરીપેક્ષથી જોઈએ તો જીવન એ 'જીવ માંથી શિવ બનવાની યાત્રા છે. જાણેકે એક તાલીમ શીબીર હોય તેમ આ યાત્રામાં મનોવૃત્તીઓની સંકીર્ણતા અને અહમ છોડી સમષ્ટિમાં એકરસ થવા માટે જરૂરી ગુણો વિકાસ પામે તેવા અનુભવો જીવ અન્ય જીવ સાથેના વ્યવહાર માંથી  મેળવે છે. આ રીતે જોઈએ તો તમારી રીસ, ગુસ્સો અને ગાળો ખાઈને પણ તમારા સાથી તમને તો વિકાસ યાત્રામાં ઉપયોગી અનુભવની બક્ષીશ જ આપેછે. તમારે તો તેમના આભારી થવું જોઈએ. પરંતુ આ સમજના અભાવે આપણે પરેશાન થઈએ છીએ અને બીજાને પણ પરેશાન કરીએ છીએ. ઋણાનુબંધ ની ચુકવણી ની કુશળતા નહિ સમજી શકવાથી આપણે એવા વધારાના કર્મો રીએકશન રૂપે કરી બેસીએ છીએ જે આપણા માટે વધુ કપરા સ્વરૂપના કાર્મિક ઋણાનુબંધ ઉભા કરે છે.

========================
તમારી કુંડળીમાં બધું  તમારા પોતાનું છે.

દરેક બાળક ની કુંડલી માં તેના જીવનની બધી બાબતો જોવાનું પ્રાવધાન છે જેમ કે તે કેવો અભ્યાસ કરશે? તેને મકાન વાહનનું સુખ કેવું મળશે? તેનું શરીર આરોગ્ય કેવું થશે?  આબધુ માત્ર તેની પોતાની કુંડળીમાના ગ્રહયોગો દ્વારા જ જોવામાં આવે છે. તેની કુંડળી સાથે બીજાની કુંડળી જોવાની કોઈ પ્રથા કે રીવાજ નથી.  તે સારૂ ભણી શકે તે માટે સ્કુલ માં એડમિશન લેતા પહેલા તેની કુંડળી અને નીશાળ ની કુંડલી આપણે કાઈ મેળવતા નથી. બરાબર આજ રીતે વ્યક્તિને કેવું દામ્પત્ય સુખ મળશે તે પણ   તેની કુંડળી ના ગ્રહયોગ બતાવે છે. વળી લગ્ન પછી વ્યક્તિ ની કુંડળીમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી એ હકીકત ને ધ્યાનમાં લેતા સહેલાઈ થી કહી શકાય કે એક વ્યક્તિ ની કુંડળી માં બીજાની કુંડલી ની કોઈ અસર થતી નથી. તમને જે કોઈ આવી મળે છે અને તમારી સાથે તે જે વર્તન વ્યવહાર કરેછે તે તમારા પ્રારબ્ધ ને આધીન છે.  હા વ્યક્તીનો પોતાનો આ જીવનનો અભિગમ અને વ્યવહાર તેને મળનાર સુખ દુખ ઉપર જરૂર અસર કરી શકે. આમ કુંડળી મેળાપકનું ગતકડું સાવ તર્કવિહીન છે. 

===================
મેળાપક એક અડસટ્ટો

કુંડળી મેળાપક નો મુખ્ય ઉદ્દેશ્ય તો વર-વહુને આપસમાં કેવો સ્વભાવ મેળ બેસશે તેનો અંદાજ કે અડસટ્ટો મેળવવાનો હોય છે. જુના સમય માં સમાજ માં જ્યારે કાચી ઉંમરે લગ્ન થતા અને વર વહુ માં આપસી સુમેળ જોવા જેટલી પુખ્તતા નહોતી, લગ્ન પહેલા છોકરા-છોકરીને મળવાનું શક્ય નહોતું ત્યારે ગ્રહોની મદદ થી આવો અડસટ્ટો મેળવવાનું ઉપયોગી હોઈ શકે. પરંતુ હવે જમાનો બદલાયો છે ડેટિંગ ના જમાના માં હવે તો જેમને આપસ માં સારો પરિચય છે, એકબીજા નો સ્વભાવ જેઓ સારીરીતે પીછાને છે  તેમના કિસ્સામાં જ્યોતિષના આ જરીપુરાણા અને સમય સાથે અપ્રસ્તુત બની ગયેલ સાધન નો ઉપયોગ કરવો એ તીરકામઠા વડે રણભૂમિ માં જવા બરાબર ગણાય.લગ્ન જીવન નો આધાર પ્રેમ છે અને આપણે  પ્રેમના જ છેદ ઉડાવી દઈને પ્રેમના દુશ્મન બનીએ એ ક્યાંનો ન્યાય ?


નવા જમાના ના નવા સાધનો નો ઉપયોગ જીવન ને બહેતર બનાવવામાં થવો જોઈએ.આજના સમયમાં કુંડલી મેળાપક ને સ્થાને સ્વભાવ અને માનસિક વૃત્તિઓ વગેરે કેટલા પુરક છે તે તપાસવા આજે કોઈ મનો-ચિકિત્સક ની સલાહ લેવામાં આવે તો કદાચ વધુ આવકારદાયક ગણી શકાય.

કુંડળી મેળાપક ને સ્થાને હવે એચઆઈવી રીપોર્ટ કે આપસમાં વિરોધી આર એચ ફેક્ટર તો નથી આવતું તે માટે તબીબી સલાહ લેવામાં આવે તે વધુ ઇચ્છનીય છે.
 
જ્યોતિષ શાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન નથી. આબાબત ને સ્વીકારવા જેટલી ખેલદિલી આપણા માં હોવી જોઈએ. વધારામાં આજે જે નિયમો અને સિદ્ધાંતો નો ઉપયોગ જ્યોતિષીઓ કરેછે તે જુના જમાનાના, જે તે સમાજ ને અનુરૂપ નિયમો છે. આજે સમય બદલાયા પછી જ્યોતિષ માં સંશોધન ખુબ જુજ પ્રમાણ માં થયુંછે તેથી નવી પરીસ્થીમાં જુના નિયમો અર્થહીન બને તે સમજી શકાય તેવું છે. આવા અપૂર્ણ શાસ્ત્ર ને આધારે અન્યથા એક બીજા માટે સુયોગ્ય ઉમેદવારો ની જોડી નકારી કાઢવી એ હતોસ્તાહ કરનારી બાબત જ ગણાય. જેઓ એક બીજા ને ઠીક ઠીક સમયથી રૂબરૂ મળી ઓળખતા હોય તેવા યુગલો ને જે નરી આંખે દેખાતા પણ નથી તેવા ગ્રહો ને આધીન એવા અપૂર્ણ શાસ્ત્ર ના નિયમો ને આધારે મુલવણી કરવી તે સમજદારી નથી.

લગ્ન જીવન માટે એક બીજા માટે પરસ્પર સારું આકર્ષણ રહે તે મહત્વનું છે. બંને સાથે ઉભારહે તો એક સારું કપલ લાગે,  શારીરિક કદ, વર્ણ એટલે કે શરીર નો રંગ વગેરે મહત્વની બાબતો છે. અભ્યાસ થી વ્યક્તિત્વ ખીલે છે અને તેના પસંદગી નું એક ધોરણ બંધાયછે. જે વાતાવરણ માં વ્યક્તિ નો ઉછેર થાય છે તેનાથી તેની એક જીવન શૈલી ઘડાય છે. આ સર્વ બાબતો નો મેળ સફળ દામ્પત્ય જીવન માટે જરૂરી છે. આનાથી ઉલટું -  કુંડલી મેળાપક માં મુખ્યત્વે  માત્ર ચંદ્ર ને જ પ્રાધાન્ય અપાયું  છે. ચંદ્ર એ મન છે અને કોઈ પણ સંબંધ માં મન નું મહત્વ છે જ તેમ છતાં માત્ર મેળાપક ના અભાવ માં બીજી બાબતો ને અવગણી ને સંબંધ ને રીજેક્ટ કરી કાઢવો તે બિલકુલ ખોટુ છે.

એવા અસંખ્ય કિસ્સા છે કે જેમના લગ્ન કુંડળી મેળાપક ના ઉચ્ચ ગુણ ને આધારે ગોઠવાયા હોય અને પછી સાવ કજોડું સાબિત થયું હોય. રોજ  લડતા હોય કે છૂટાછેડા થયા હોય.

======================
નાડીદોષ  શું અંતિમ  કસોટી છે ?

લગ્નવાંછું યુવક-યુવતીઓ ને લગ્ન નક્કી કરતા પહેલા અને પરણેલા યુગલોને લગ્ન પછી જ્યારે દામ્પત્ય જીવન ને સ્પર્શતી કોઈ સમસ્યા ઉભી થાય ત્યારે જ્યોતિષીઓ નાડીદોષ ને જવાબદાર ગણે છે. ખરેખરતો અષ્ટકૂટ માં સમાન નાડીદોષ ને માત્ર ઉચ્ચ વર્ણના લોકો માટે જ અસ્વીકાર્ય ગણવામાં આવતું પણ હવે જેમ જેમ જ્યોતિષ પ્રસાર વધતો જાયછે તેમ તેમ દરેક વર્ગના માણસો માટે આ દોષ લાગુ કરવામાં આવે છે.

નાડી દોષનો સિદ્ધાંત જ્યોતિષ અને આયુર્વેદના સંબંધની નિશાની છે. પહેલાના સમયમાં દરેક વૈદ જ્યોતિષનો પણ અભ્યાસુ હતા. જ્યારે દર્દી વૈદ પાસે જાય તે સમયે દરદ ને પારખવા કેટલાક પ્રશ્નો પુછવામાં આવતા - રોગના લક્ષણો કયા નક્ષત્ર સમયે દિખાયા તથા રોગી કયા નક્ષત્રમાં ઈલાજ માટે આવ્યો તે જાણી લઇ રોગ વિષે નિદાન કરવામાં આવતું. સાથે સાથે રોગીના કાંડા પાસે રક્તવાહિનીની  ચાલ ઉપરથી તેના શરીરની પ્રકૃતિ વિષે ક્યાસ કાઢવામાં આવતો. આ સમયને નાડી અને પૂરી પ્રક્રિયા ને નાડી પરીક્ષા કહેવામાં આવતું. નાડી પરીક્ષણ માં વાત, કફ કે પિત્ત એ ત્રણ માંથી કયા ગુણના પ્રમાણ માં વિકાર ઉત્પન્ન થયો છે એટલે કે ' ત્રિદોષ '  જાણવામાં આવતું. હવે જ્યારે લગ્ન મેળાપક નો સિદ્ધાંત બન્યો ત્યારે સ્ત્રી-પુરુષ ની સંતાન ઉત્પન્ન કરવાની ક્ષમતા વિષે ક્યાસ કાઢવાનો જે માર્ગ જ્યોતિષીઓએ નક્કી કર્યો તેમાં આ ત્રિદોષ નો સમાવેશ થયો. અને આયુર્વેદમાં આ પરીક્ષણ ને નાડી તરીકે ઓળખાતી તેથી તેજ નામ જ્યોતિષ માં પણ સ્વીકારવા માં આવ્યું.

આમ કુંડળી મેળાપકમાં નાડી એટલે ચંદ્રના નક્ષત્રને આધારે વરવધુ ના ત્રિદોષ ને આપસમાં મૂકી તેમના સંયોગ ને તપાસવો કે ક્યાંક બંને એકજ તત્વના વિકાર વાળા તો નથી? જો બંને ના શરીર એક સરખા ત્રિદોષ વાળા હોય તો જે ગર્ભ રચાય તેમાં તે ગુણ ખુબ વધુ પ્રમાણમાં વકરે અને ગર્ભના વિકાસમાં અવરોધ થઇ શકે.

હવે સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ચકાસવાની વધુ વૈજ્ઞાનિક રીત વિકસી ચુકી છે ત્યારે માત્ર ચંદ્ર ને આધારે નાડી જોઈ ફેંસલો કરવાનું યોગ્ય નથી. વળી ત્રિદોષ બાબતે પણ જ્યોતિષી કરતા આયુર્વેદના નિષ્ણાત વૈદની મદદ લેવી વધુ યોગ્ય ગણાય.

જેમને સંતતિ નથી તેવા દંપતી પણ જો જ્યોતિષની મદદથી તપાસ કરાવતા માલુમ પડે કે તેઓ વચ્ચે નાડી દોષ છે તો તેમણે આયુર્વેદ ની મદદથી પોતાના ખાન-પાન, રહેણી કરણી, તથા સ્વભાવમાં યોગ્ય ફેરફાર કરી લાભ મેળવી શકે છે. મને લાગેછે કે શરીરના દોષના ઈલાજ માટે જ્યોતિષ કરતા આયુર્વેદની સહાય લેવી વધુ ઉચિત ગણાય.

જ્યારે લગ્ન માટે મેળાપક જોતા હોઈએ ત્યારે પણ જ્યોતિષીએ નાડી દોષ કહ્યો એટલે પૂર્ણવિરામ મુકવાને બદલે જો દેખાવ, કાળ, વર્ણ, અભ્યાસ, જીવનશૈલી વગેરે બીજી બાબતોમાં છોકરા છોકરી એક બીજા માટે સુયોગ્ય હોય તો આયુર્વેદિક ઉપાય કરવાની તૈયારીથી આગળ વધવું જોઈએ. જેમને જ્યોતિષની રીતે નાડીદોષ ન હોય તેવા પણ ઘણા યુગલોને સંતતિ નથી હોતી તો બીજી બાજુ નાડીદોષ હોય છતાં સંતાન સુખ સારું મળે તેવા કિસ્સા પણ જોવા મળે છે.

==================
મંગળદોષ ની યથાર્થતા

કુંડલી મેળાપક વખતે  મંગળદોષ જોવામાં આવે છે. મંગળને ભૂમિ, સૈનિક, ઉર્જા, હિંમત, શક્તિ, સ્વાભિમાન, આખાબોલાપણું, જુસ્સો વગેરે સાથે સાંકળવામાં આવેછે. જ્યારે આપણે  જુના જમાનાના સમાજ જીવનને તપાસીએ ત્યારે જોવા મળે છે કે એ સમય માં લડાઈઓ ઘણી થતી અને તેમાં લડવામાં જુસ્સા વાળા અને લડાયક વૃત્તિ વાળા લોકો (માંગલિક) વધુ જતા. લડાઈ માં માણસો મોટી સંખ્યા માં શહીદ થતા. તેથી જેમનો મંગલ વધુ અસરકારક હોય તેવા વ્યક્તિને લગ્ન માટે સારા ઉમેદવાર ગણવામાં આવતા ન હતા તે જે તે જમાના માટે બરાબર હતું પરંતુ આજે તે બરાબર  નથી. હવે સલામતી અને રોગ સામે રક્ષણ આપતી દવાઓ અને બહેતર સુઘડતા અને જીવન ધોરણ ને કારણે સરેરાશ  આયુષ લાંબુ થયું છે. તેથી અકાળ અવસાન ની શક્યતાઓ ઘટતા યુવાન વયે વૈધવ્ય નું પ્રમાણ પણ ઘટ્યું છે.  બીજી તરફ પુન:લગ્ન માટે સમાજ માં કુણું વલણ સ્થાપિત થઇ રહ્યુંછે.

વળી ખેતીપ્રધાન સમાજના પુરુષ નો અહં  મંગલના ઉપર જણાવેલ ગુણો  વાળી પત્ની ને કારણે ઘવાય તે સ્વાભાવિક હતું. પરંતુ હવે જમાનો બદલાયો છે એન્જીન્યરીંગ અને ટેકનોલોજી જેવા ઉચ્ચ અભ્યાસક્રમ સશક્ત મંગલ વગરની છોકરીઓ કરીશકે તે શક્ય નથી. બીજી તરફ પુરુષો હવે રસોઈ માં પણ પત્નીને મદદ કરતા થયા છે. હવેની છોકરીઓ દરેક ક્ષેત્રમાં છોકરાઓને ટક્કર આપેછે ત્યારે માંગલિક દોષ જોવાની વાતને ફેરવિચારણા કરવાની જરૂરત છે.

આ સર્વ બાબતો ની સમીક્ષા કરતા હવે મેળાપક, નાડીદોષ તથા મંગળદોષ જેવી બાબતો નવેસરથી વિચાર કરવાની ખાસ જરૂર છે તેમ ની:સંદેહ કહી શકાય.

===============
અને છતાં...

આ બધી બાબતો જ્યોતિષી સમજી ન શકે તેવું માની લેવાય નહિ. તો પછી પ્રશ્ન એ ઉભો થાયછે કે આ મેળાપક ની રીત કેમ હજી ચાલુ રહી છે?  પ્રસ્થાપિત શાસ્ત્રને આહવાન કરવા કદાચ જ્યોતિષીની પોતાની નૈતિક હિંમત ઓછી પડેછે .. કે પછી પોતાની મહત્તા ગુમાવવાની બીક હોય... કદાચ જ્યોતિષીની પોતાની બુદ્ધિ સ્વતંત્ર વિચાર કરવામાં પાછી પડતી હોય...ક્યાંક મેળાપકની આવક જતી કરવાની તૈયારી ઓછી પડે છે ??
---------------------------------------------------------------

welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
=====================================+++++++++
https://www.facebook.com/MAHUVA364290/photos_albums
https://www.facebook.com/MAHUVA364290/notes
https://www.facebook.com/MAHUVA364290/info
========================================
हमारे पेज में आपका स्वागत है 'हमें पसंद करने के लिए मत भूलना.
https://www.facebook.com/MAHUVA364290
મહુવા ના પેજ ઉપર આપનુ સ્વાગત છે મહુવા ના પેજ ને લાઇક આપવાનુ ભુલશો નહી.

17.10.13

શરદ પૂર્ણિમા

શરદ પૂર્ણિમા

વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે.
આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે.
 આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે.
તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે.
-------------------
शरद पूर्णिमा

शरद पूर्णिमा, जिसे कोजागरी पूर्णिमा या रास पूर्णिमा भी कहते हैं; हिन्दू पंचांग के अनुसार आश्विन मास की पूर्णिमा को कहते हैं।
ज्‍योतिष के अनुसार, पूरे साल में केवल इसी दिन चंद्रमा सोलह कलाओं से परिपूर्ण होता है।[1]
 हिन्दी धर्म में इस दिन कोजागर व्रत माना गया है। इसी को कौमुदी व्रत भी कहते हैं। इसी दिन श्रीकृष्ण ने महारास रचा था।
 मान्यता है इस रात्रि को चंद्रमा की किरणों से अमृत झड़ता है। तभी इस दिन उत्तर भारत में खीर बनाकर रात भर चांदनी में रखने का विधान है।
--------------
कथा

एक साहुकार के दो पुत्रियाँ थी।[1] दोनो पुत्रियाँ पुर्णिमा का व्रत रखती थी। परन्तु बडी पुत्री पूरा व्रत करती थी और छोटी पुत्री अधुरा व्रत करती थी।
परिणाम यह हुआ कि छोटी पुत्री की सन्तान पैदा ही मर जाती थी।
 उसने पंडितो से इसका कारण पूछा तो उन्होने बताया की तुम पूर्णिमा का अधूरा व्रत करती थी जिसके
कारण तुम्हारी सन्तान पैदा होते ही मर जाती है। पूर्णिमा का पुरा विधिपुर्वक करने से तुम्हारी सन्तान जीवित रह सकती है।
--------------------
विधान

इस दिन मनुष्य विधिपूर्वक स्नान करके उपवास रखे और जितेन्द्रिय भाव से रहे।[2] धनवान व्यक्ति ताँबे अथवा मिट्टी के कलश
 पर वस्त्र से ढँकी हुई स्वर्णमयी लक्ष्मी की प्रतिमा को स्थापित करके भिन्न-भिन्न उपचारों से उनकी पूजा करें, तदनंतर सायंकाल में
चन्द्रोदय होने पर सोने, चाँदी अथवा मिट्टी के घी से भरे हुए १०० दीपक जलाए।इसके बाद घी मिश्रित खीर तैयार करे और बहुत-से
पात्रों में डालकर उसे चन्द्रमा की चाँदनी में रखें। जब एक प्रहर (३ घंटे) बीत जाएँ, तब लक्ष्मीजी को सारी खीर अर्पण करें।
तत्पश्चात भक्तिपूर्वक सात्विक ब्राह्मणों को इस प्रसाद रूपी खीर का भोजन कराएँ और उनके साथ ही मांगलिक गीत गाकर तथा
मंगलमय कार्य करते हुए रात्रि जागरण करें।तदनंतर अरुणोदय काल में स्नान करके लक्ष्मीजी की वह स्वर्णमयी प्रतिमा आचार्य को
अर्पित करें।इस रात्रि की मध्यरात्रि में देवी महालक्ष्मी अपने कर-कमलों में वर और अभय लिए संसार में विचरती हैं और मन ही
 मन संकल्प करती हैं कि इस समय भूतल पर कौन जाग रहा है? जागकर मेरी पूजा में लगे हुए उस मनुष्य को मैं आज धन दूँगी।

इस प्रकार प्रतिवर्ष किया जाने वाला यह कोजागर व्रत लक्ष्मीजी को संतुष्ट करने वाला है।
 इससे प्रसन्न हुईं माँ लक्ष्मी इस लोक में तो समृद्धि देती ही हैं और शरीर का अंत होने पर परलोक में भी सद्गति प्रदान करती हैं।

-------------------
Official name    Lakshmi Puja
Also called    Kojagiri Purnima
Observed by    Hindus
Type    Hindu, Indian
Begins    Full moon day of month Ashvin
2013 date    18 October, Friday [1]
Related to    Lakshmi
-------------------
Sharad Purnima

The Sharad Purnima or Kojaagari Purnima or Kumar Purnima is a harvest festival
celebrated on the full moon day of the Hindu lunar month of Ashvin (September–October).
 It marks the end of monsoon. There is a traditional celebration of the moon and is also
 called the 'Kaumudi celebration', Kaumudi meaning moonlight.[2]

At night, goddess Lakshmi is worshiped and night vigil is observed.
 According to a folk-tale, once a king fell on evil days, and was in great financial
straits, but then his queen observed this fast and night vigil, and worshiped the
goddess of wealth, Laxmi. Consequently, they were blessed by the goddess and
 they regained their prosperity.
--------------------
Maharashtra, West Bengal, Mithila

Some people believe[who?] that on this night Laxmi goes around from place to place asking,
"Who is awake?" ("Kojagarti?") and shows her pleasure on those she finds awake. Hence,
the night is spent in festivity and various games of amusement, in honour of the goddess.
So people sit in the moonlight singing songs, or keep themselves entertained in some other
way. They fast from solid food and take only fluids like coconut water or milk. Milk is boiled
until it thickens, and milk masala (called kheer, a readymade combination of dry fruits)
 is added to it and drunk. There is also a tradition to have cool milk and rice flakes on this
 night. It is a harvest festival and is celebrated throughout the country, particularly by
 Maharashtrians i.e. by people residing in Maharashtra India & is similarly celebrated by
 other marathi's (People with Marathi mother tongue) in India & Abroad . The eldest child
of the family is also honored on this day.
------------------
In Odisha

Time For The Festivity

Sharad Purnima is known as Kumar Purnima or Lakshmi Puja in Odisha,
 an eastern state of India. Kumar Purnima is the full-moon day in the month of Ashvin in October.
This autumn festival is one of the most popular and important festivals of Odisha. 'Kumar'
 or Kartikeya, the handsome son of Shiva was born on this day. He also became the God of War.
As young girls always wish for a handsome husband, they propitiate Kumar who was most
 handsome among the Gods. But, peculiarly enough there is no ritual for the God, instead
the Sun and the Moon are worshiped.
-------------------
Main Ritual

In the early morning the girls after their purificatory bath wear new garments and make
 food-offerings to the sun. They observe fasting for the day. In the evening when the
moon rises they again make food offerings of a special variety and take it after the
rituals are over. It is a festival of rejoicing for the girls. All of them sing and dance.
The songs are of special nature. They also play a kind of game known as Puchi.
They also indulge in other varieties of country-games.
----------------------
Gaja Lakshmi
This day is also observed as the birthday of Laxmi, the Goddess of wealth.
 Therefore, many people worship the Goddess at their homes and keep themselves
 awake by playing 'Pasha' (Dice) (especially in parts of southern Odisha) and other
 indoor games. Significantly it suggests that those who wish to acquire wealth should
always be vigilant at night. It is for this reason that the owl, a bird that sleeps in the
day and comes out only at night is worshipped. Goddess Lakshmi is worshiped by
 devotees in different pandals and household in and across the state of Odisha,
 especially in Kendrapara and Dhenkanal. The pandals are decorated with beautiful decorations.


In the western state of Gujarat, the night is known as Sharad Poonam.
 In Gujarat people celebrate it by doing Garba and Raas.

The Bengali people call it Lokkhi Pujo and arrange several bhog and upachar
for mother goddess Lakshmi.

In the Mithila region, the puja is known by the name of Kojagaraha. It is celebrated in
 all Maithil households. All the household gods are cleaned and put out in the "AANGAN".
 Prior to the putting out of idols, the "aangan" is cleaned and decorated with rice flour
paste "ARIPAN" OR "ALPANA".They are prayed to and an offering of
"PAAN, MAKHAAN, BATASHA" and "KHEER OR PAYAS" is made. They are kept
 out there overnight so that they are bathed in the pious "Sharad Purnima"
moonlight also known as "Amrit Barkha". It is generally a big celebration for the
newly wed couple too. The new bride decorates the house with a rice paste and
makes "ALPANA" OR "ARIPAN". The bride, groom and the brother-in-laws play
 games the whole night. Paan, Makhaan and Sweets are distributed. A big basket having
 "DHAAN-Rice", "DOOB" grass, Makhaan, "PAAN", coconut, banana, whole nuts,
yagyopavit/janeu threads, cloves, cardamom, silver pennies or fishes or turtles
made up of silver, yogurt, sweets and Mithila Paintings arrives from the brides
home. New clothes are also sent to the in-laws.

A Maithili Legend states that-Lachchmi and Alachchhmi are twin sisters.
Lachchmi loves sweet dishes and brings good luck whereas Alachchmi loves spicy
food and brings Bad Luck. Thus spicy food is kept out-of-doors so that Alachchmi
 has her fill and goes away and Sweet dishes are kept in small amounts outside and a
 second larger helping is kept inside so that Lachchhmi comes inside the house and stays there.


In some regions of the Mithila area, Goddess Kali is also prayed. The Kali puja begins on
this day and continues for a fortnight and ends on the night of Diwali with Nisha Puja.

Currently, this full moon comes during Sharad ritu (season ) of the year and hence it is
called Sharad Purnima or Sharad Poonam. (Purnima or Poonam = full moon).

There is an Ayurvedic reason behind consuming rice flakes with cool milk on this night.
 Sharad ritu (season) consists of two months of overlapping seasons when the summer
 is about to end and the winter slowly starts. During Sharad the days are warm and
nights start to become cooler. This is perfect season for Pitta prakop when pitta vitiates
 along with other two doshas. Consuming rice flakes with milk during night time is good
 remedy to pacify pitta. Also known as 'Kojaagari Punam,' the festival is celebrated on
Aso sud 15 - Purnima. Lakshmi, the goddess of wealth moves around in the night sky,
 asking `Ko jaagarti' searching for people below who are awake. In Sanskrit,
`Ko jaagarti' means, ' Who is awake?' And to those who are awake she gifts wealth.


Origin 1. The Sanatkumar Samhita cites the story of 'Kojaagari Punam.' In the Samhita
 Vaalkhil rishi narrates that in ancient times, a poor Brahmin named Valit lived in Magadhdesh
 - Bengal. While he was a learned and virtuous man, his wife revelled in quarelling, behaving
totally opposite to his wishes. Once on his father's `Shraddh' - day of paying homage to the
 deceased- she flung the 'pind' - ball of wheatflour - in a sewage pit, rather than the sacred
Ganga, as custom required. This infuriated Valit. Therefore he renounced home to search for
wealth. In the forests, he met 'Naagkanyas' - girls of Kaliya Naag's ancestry. These Naagkanyas
 had performed the 'Kojaagari Vrat' - staying awake on Aso sud Punam. They then sat gambling
 with Valit. The night happened to be Aso sud Punam. Valit lost everything. At that moment,
Lord Vishnu and consort Lakshmi, happened to pass by. Since Valit had incidentally observed
 the 'Kojaagari vrat', Lakshmi graced him handsomeness similar to that of 'Kamdeva'
- the deity of love. Now attracted to him, the Naagkanyas married Valit and gifted him
their riches. He then returned home with the riches, whence his wife received him warmly.
 After this episode, the Samhita declared that those who remain awake on this Punam will
 be graced with wealth.

2. On this night, Lord Krishna invited His faithful devotees, the Gopis of Vrundavan, to play
the Maha Raas (traditional folk-dance) with Him. They had earned His grace by overlooking
 society's disdain on them (`loklaaj'), to offer Him unalloyed devotion. When They left Their
 homes in Vraj and arrived in Vrundavan, Shri Krishna welcomed Them. Yet to further test
Their love for him, He averred: 'Women of character such as you, should not leave home to
 meet another man in the middle of the night!' These words seared the Gopis' hearts. In
extreme grief, They uttered: 'Our feet will not budge the slightest from Your lotus-feet.
 So how can we return to Vraj?' Pleased with such immutable love for Him, Shri Krishna
 initiated the Maha Raas, by assuming as many forms as there were Gopis. At this point,
 They beamed with pride that, 'Nobody's devotion can excel ours, by which the Lord favored
us.' Instead of accepting the Maha Raas as the Lord's grace, ego marred Their devotion.
 Therefore He instantly vanished from the Raas mandal! Now filled with remorse, the Gopis
 repented. Recalling Shri Krishna's divine episodes - 'lila', They lamented the separation and
 sang kirtans known as 'viraha geet': 'Jayati te-dhikam janmanaa vrajaha …..
(Shrimad Bhagvat 10/31/1) Describing the 'lila' in the Bhagvat (10/30/25), Shukdevji narrates
 to king Parikshit: 'O Parikshit! Of all nights, that night of Sharad Punam became the most
resplendent. With the Gopis, Shri Krishna roamed the banks of the Yamuna, as if imprisoning
 everyone in His lila!'

3 Aksharbrahma Gunatitanand Swami, the choicest devotee of Bhagwan Swaminarayan was
 born on Sharad Punam, Samvat 1841. He granted 'wealth' by blessing spiritually 'awake'
devotees with God-realization.

Sentiments The spiritual import of 'Jaagrati' (awake) is to remain vigilant. In Vachanamrut
Gadhada III-9, Bhagwan Swaminarayan elaborates on this vigilance. He says that the vigilance
in one's heart is the gateway to the Lord's divine abode. Devotees should not let mundane
desires, of wealth, lust and so forth, enter their hearts. When faced with obstacles such as:
success and failure, happiness and misery, honor and insult, the devotees should remain
unflinching in their devotion to God. In this manner, they should remain vigilant at the
gateway to God, not letting any mundane objects through. Therefore, every moment in
our lives requires vigilance and this in itself becomes a subtle form of 'tapas' - austerity.
 Those who performed severe austerities without vigilance, succumbed to Maya.
 Vishwamitra performed austerities for 60,000 years, but lost 'Jaagruti' - vigilance -
 in Menka's company. Similarly, lack of vigilance toppled Saubhari rishi, Ekalshrungi,
Parashar and others.

Symbolic Import Just as the night sky of Sharad Punam is clear and suffused with lunar
resplendence, the aspirant should similarly endeavor to purify his 'antahkaran.' For this
he has to eradicate body-consciousness and mundane desires and imbibe Brahma-consciousness,
 in order to incessantly experience Parabrahma. (Gita 18/54, Shikshapatri 116).
For this the aspirant needs to seek the Gunatit Sadhu, who is the gateway to moksha
(the Lord), as proclaimed in the Bhagvat (3/29/20): Prasangamajaram paashamaatmanaha
 kavayo viduhu, Sa eva sadhushu kruto mokshadwaaram apaavrutam. i.e. the sages decree
 that if a jiva who is deeply attached to his body and bodily relatives, similarly attaches himself
to the Gunatit Sadhu, the doors of moksha will be opened for him.


It is also believed that on this day as moon and the earth are very close to each other,
 the moon rays have certain healing properties of nourishing the body and the soul.

=-=-==-----=-=-=-=-============
http://www.mahuv.blogspot.in/
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290


13.10.13

તમે જાણો છો, હનુમાન ચાલીસાની સેકડો વર્ષ જૂની આ વાત

Know The Importance Of Tulsidas And Ramcharitmanas


તમે જાણો છો, હનુમાન ચાલીસાની સેકડો વર્ષ જૂની આ વાત


આજના સમયમાં હનુમાનજીની ભક્તિ બધી ઈચ્છાને પૂરી કરનારી માનવામાં આવે છે. હનુમાનજીને મનાવવા માટે આજે હનુમાન ચાલીસાનો પાઠ સૌથી સરળ ઉપાય છે. હનુમાન ચાલીસાની રચના ગોસ્વામી તુલસીદાસજીએ સેકંડોવર્ષ પહેલા કરી હતી અને આજે પણ તે સૌથી લોકપ્રિય સ્તુતિ છે.


13 ઓગસ્ટ 2013ના રોજ શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની સપ્તમી છે. આ તિથિએ ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ થયો હતો. એવું માનવામાં આવે છે કે હનુમાનજી અને શ્રીરામના સાક્ષાત રૂપમાં તુલસીદાસજીને દર્શન આપતા હતા.


અહીં જાણો તુલસીદાસજી અને હનુમાનજી સાથે જોડાયેલ ખાસ વાતો, જે મોટાભાગના લોકો નથી જાણતા....


ગોસ્વામી તુલસીદાસે બહુચર્ચિત અને પ્રસિદ્ધ શ્રીરામચરિતમાનસની રચના કરી. શ્રીરામચરિતમાસની રચના સેકંડો વર્ષો પહેલા કરવામાં આવી હતી અને આજે પણ તે સૌથી વધુ વેચાતો ગ્રંથ છે. વાલ્મિકી દ્વારા રચિત રામાયણનું સરળ રૂપ શ્રીરામચરિતમાનસ છે. આ ગ્રંથ સરળ હોવાને લીધે જ આજે પણ સૌથી વધુ પ્રસિદ્ધ છે. હનુમાન ચાલીસાની રચના પણ તુલસીદાસજીએ જ કરી છે. અહીં વાંચો ક્યારે, કેવી રીતે અને ક્યાં તુલસીદાસે શ્રીરામચરિતમાનસની રચના કરી અને હનુમાનજી સાથે કંઈ રીતે તેમની મુલાકાત થઈ, કેવી રીતે તુલસીદાસ પોતાના પત્નીને કારણે શ્રીરામના અનન્ય ભક્ત બની ગયા.... 


ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ જિલ્લાથી થોડે જ દૂર રાજાપુર નામનું એક ગામ છે. આ ગામમાં સંવત 1554ની આસપાસ ગોસ્વામી તુલસીદાસનો જન્મ થયો. તુલસીદાસના પિતા આત્મરામ દુબે અને માતાનું નામ હુલસી હતું. તુલસીદાસનો જન્મ શ્રાવણ મહિનાની શુક્લપક્ષની સપ્તમી તિથિના દિવસે થયો હતો.


એવી માન્યતા છે કે તુલસીદાસના જન્મના સમયે પૂરાં બાર મહિના સુધી માતાના ગર્ભમાં રહેવાને લીધે ઘણા તંદુરસ્ત હતા અને તેમના મુખમાં દાંત પણ જોવા મળી રહ્યા હતા.


સામાન્ય રીતે જન્મ પછી બધા બાળકો રોતા હોય છે પરંતુ આ બાળકે પહેલો શબ્દ બોલ્યો તે હતો રામ. આને લીધે જ તુલસીદાસનું શરૂઆતનું નામ રામબોલા પડ્યું હતું.


માતા હુલસી તુલસીદાસજીને જન્મ આપીને બીજા દિવસે જ મૃત્યુ પામી હતી. ત્યારે પિતા આત્મારામે નવજાત શિશુ રામબોલાને એક દાસીને સોપી દીધો અને પોતે વિરક્ત થઈ ગયા. જ્યારે રામબોલા સાડા પાંચ વર્ષનો થયો તો તે દાસી પણ જીવતી ન રહી. હવે રામબોલા કોઈ અનાથ બાળકની જેમ ગલીએ-ગલીએ ભટકવા વિવશ બની ગયો.


આ પ્રકારે ભટકતા ભટકતા એક દિવસે નરહરિ બાબા સાથે રામબોલાની મુલાકાત થઈ. નરહરિ બાબા તે સમયે પ્રસિદ્ધ સંત હતા. તેમને રામબોલાનું નામ તુલસીદાસ રાખ્યું. ત્યારબાદ તેઓ તુલસીરામે અયોધ્યા, ઉત્તર પ્રદેશ લઈ આવ્યા અને ત્યાં તેમનો યજ્ઞપવિત સંસસ્કાર કરવામાં આવ્યો.


તુલસીરામે સંસ્કારના સમયે વગર શિખવ્યે જ ગાયત્રીમંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ કર્યું, જેને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાર નરહરિ બાબાએ વૈષ્ણવોના પાંચ સંસ્કાર કરીને બાળકને રામ મંત્રની દિક્ષા આપી અને અયોધ્યામાં જ રહીને તેનું વિદ્યાધ્યયન કરાવ્યું. તુલસીરામની બુદ્ધિ ખૂબ જ તેજ હતી. તે એક વખતમાં જ ગુરુ-મુખેથી જે સાંભળી લેતા તે તરત યાદ રહી જતું. ત્યાંથી થોડા સમય પછી ગુરુ-શિષ્ય બંને શૂકરક્ષેત્ર(સોરો) પહોંચ્યા. ત્યાં નરહરિ બાબાએ તુલસીરામને રામકથા સંભળાવી પરંતુ બાળક રામકથા રામકથા સારી રીતે ન સમજી શક્યા.


તુલસીરામના લગ્ન રત્નાવલી નામની ખૂબ જ સુંદર કન્યા સાથે થયા હતા. લગ્ન સમયે તુલસીરામની ઉંમર 29 વર્ષ હતી. લગ્ન પછી તરત જ તુલસીરામ ગોના(આણુ) કર્યા વગર કાશી ચાલ્યા આવ્યા અને અધ્યયનમાં જોડાઈ ગયા. આ પ્રકારે એક દિવસ તેમને પોતાની પત્ની રત્નવલીની યાદ આવી અને તેઓ તેને મળવા માટે વ્યાકૂળ થઈ ગયા. ત્યારે તેઓ પોતાના ગુરુજીની આજ્ઞા લઈને પત્ની રત્નાવલીને મળવા પહોંચ્યા.


રત્નાવલી પીયરમાં હતી અને જ્યારે તુલસીરામ તેમના ઘરે પહોંચ્યા ત્યારે યમુના નદીમાં ભયંકર પુર આવ્યું હતું અને તેઓ નદીમાં તરીને રત્નાવલીના ઘરે પહોંચ્યા. તે સમયે ભયંકર અંધારું છવાયેલું હતું. જ્યારે તુલસીરામ પત્નીના શયનખંડનમાં પહોંચ્યા ત્યારે રત્નાવલી તેમને જોઈને આશ્ચર્યચિકત થઈ ગઈ. લોક-લજ્જાની ચિંતાથી તેણે તુલસીરામને પાછા જોવાનું કહ્યું.


જ્યારે તુલસીરામ પાછા જવા તૈયાર ન થયા ત્યારે રત્નાવલીએ તેમને એક દોહો સંભળાવ્યો, તે દોહો આ પ્રકારે છે...


अस्थि चर्म मय देह यह, ता सों ऐसी प्रीति!


नेकु जो होती राम से, तो काहे भव-भीत?


આ દોહો સાંભળતા જ તુલસીરામ તે સમયે જ રત્નાવલીને પિતાના ઘરે જ છોડીને પાછા પોતાના ગામ રાજાપુરમાં આવી ગયા. જ્યારે તેઓ રાજાપુરમાં પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના પિતા નથી રહ્યા. ત્યારે તેમને પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને તે ગામમાં લોકોને શ્રીરામ કથા સંભળાવવા લાગ્યા.


સમય આ જ રીતે પસાર થવા લાગ્યો. થોડો સમય રાજાપુરમાં રહ્યા પછી તેઓ ફરીથી કાશી પાછા આવ્યા અને ત્યાં રામ-કથા સંભળાવવા લાગ્યા. આ દરમિયાન તુલસીરામે એક દિવસ મનુષ્યના વેશમાં એક પ્રેત મળ્યો, જેને તેમને હનુમાનજીની જગ્યા બતાવી. હનુમાનજી સાથે મળીને તુલસીરામે તેમને શ્રીરામના દર્શન કરાવવાની પ્રાર્થના કરી. ત્યારે હનુમાનજીને કહ્યું કે ચિત્રકૂટમાં રઘુનાથજી દર્શન થશે. ત્યારબાદ તુલસીદાસ ચિત્રકૂટ તરફ ચાલી નિકળ્યા.


ચિત્રકૂટ પહોંચીને તેમને રામઘાટ ઉપર પોતાનું આસન જમાવ્યું. એક દિવસ પ્રદક્ષિણા કરીને નિકળ્યા જ હતા કે તેમને જોયું કે બે ખૂબ જ સુંદર રાજકુમારો ઘોડા ઉપર સવાર થઈને ધનુષ-બાણ લઈને જઈ રહ્યા છે. તુલસસીદાસ તેમને જોઈને આકર્ષિત થઈ ગયા, પરંતુ તેઓ ઓળખી ન શક્યા કે તેઓ જ શ્રીરામ અને લક્ષ્મણ છે.


ત્યારબાદ હનુમાનજીએ આવીને બતાવ્યું કે ત્યારે તુલસીદાસજીએ પશ્ચાતાપ થયો. ત્યારે હનુમાનજીએ તેમને સાંત્વના આપી અને કહ્યું કે સવારના સમયે ફરીથી શ્રીરામના દર્શન કરી શકશે.


ત્યારબાદ આગળના દિવસે સવાર-સવારમાં શ્રીરામ ફરીથી પ્રગટ થયા. ત્યારબાદ તેઓ એક બાળકના રૂપમાં તુલસીદાસની સમક્ષ આવ્યા. શ્રીરામે બાળક રૂપમાં તુલસીદાસજીને કહ્યું કે, તેમને ચંદન જોઈએ. આ બધુ હનુમાનજી જોઈ રહ્યા હતા અને તેમને વિચાર્યું કે તુલસીદાસ આ વખતે શ્રીરામને ઓળખી નથી શક્યા. ત્યારે બજરંગબલીએ એક દોહો કહ્યો...


चित्रकूट के घाट पर, भइ सन्तन की भीर।


तुलसीदास चन्दन घिसें, तिलक देत रघुबीर॥


આ સાંભળીને તુલસીદાસજી શ્રીરામજીના અદ્ભૂત દર્શન કર્યા. શ્રીરામના દર્શન કરીને તુલસીદાસજી સુધ-બુધ ખોઈ બેઠા. ત્યારે ભગવાન રામે પોતે જ પોતાના હાથથી ચંદન લઈને પોતાના મસ્તક ઉપર તથા તુલસીદાસજીના મસ્તક ઉપર લગાવ્યું અને અન્તર્ધ્યાન થઈ ગયા.


સંવત 1628માં તુલસીદાસ હનુમાનજીની આજ્ઞા લઈને અયોધ્યા તરફ ચાલી નિકળ્યા. રસ્તામાં તે સમયે પ્રયાસમાં માઘનો મેળો લાગેલો હતો. તુલસીદાસજી થોડા દિવસ માટે ત્યાં રોકાયા. મેળામાં એક દિવસ તુલસીદાસજીએ કોઈ વટવૃક્ષની નીચે ભારદ્વાજ અને યાજ્ઞવલ્ક્ય મુનિના દર્શન થયા. ત્યાં પણ એ જ કથા થઈ રહી હતી જે તમને સૂકરક્ષેત્રમાં પોતાના ગુરુ દ્વારા સાંભળી હતી.


મેળો સમાપ્ત થતા જ તુલસીદાસ પ્રયાસથી ફરી કાશી આવી ગયા અને ત્યાં એક બ્રાહ્મણના ઘરે નિવાસ કરવા લાગ્યા. ત્યાં રહીને તેમની અંદર કવિત્વ શક્તિ જાગૃત થઈ. હવે તેઓ સંસ્કૃતમાં પદ્ય-રચના કરવા લાગ્યા. તુલસીદાસ દિવસમાં તેઓ જેટલા પદ રચતા, રાત્રે તેઓ બધુ જ ભૂલી જતા. આ ઘટના રોજ થતી હતી. ત્યારે એક દિવસ ભગવાન શંકરે તુલસીદાસજીના સપનામાં આવીને આદેશ આપ્યો કે તમે પોતાની ભાષામાં જ કાવ્ય રચના કરો.


ઊંઘમાંથી જાગીને તુલસીદાસજીએ જોયું કે તે સમયે ભગવાન શિવ અને પાર્વતી તેમની સામે જ પ્રગટ થયા છે. પ્રસન્ન થઈને શિવજીને કહ્યું – તમે અયોધ્યા જઈને રહો અને હિંદીમાં કાવ્ય રચના કરો. મારા આશીર્વાદથી તમારી કવિતાઓ સામવેદ સમાન થઈ જશે.


ત્રેતાયુગમાં રામ જન્મ થયો હતો. એ દિવસે સવારના સમયે તુલસીદાસજીએ શ્રીરામચરિતમાનસની રચનાની શરૂઆત કરી. બે વર્ષ, સાત મહિના અને છવ્વીસ દિવસમાં આ અદભૂત ગ્રંથની રચના થઈ. 1633 માર્ગશીર્ષ શુક્લપક્ષમાં રામ-વિવાહના દિવસે સાત કાંડ પૂર્ણ થયા.


=============

welcome to our page don't' forget to like us.

https://www.facebook.com/MAHUVA364290

फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....

=====================================+++++++++

https://www.facebook.com/MAHUVA364290/photos_albums

https://www.facebook.com/MAHUVA364290/notes

https://www.facebook.com/MAHUVA364290/info

========================================

हमारे पेज में आपका स्वागत है 'हमें पसंद करने के लिए मत भूलना.

https://www.facebook.com/MAHUVA364290

મહુવા ના પેજ ઉપર આપનુ સ્વાગત છે મહુવા ના પેજ ને લાઇક આપવાનુ ભુલશો નહી.

અમારા પાનાં પર આપનું સ્વાગત છે અમને પસંદ કરવાનું ભૂલશો નહીં.

===============================================

 Friends,

Your Likes, comments and shares our enthusiasm to support 

rupee rises and more and more we strive to provide fun and interesting information ..

=========================================+++++++++++

दोस्तो,

आपकी पसंद, टिप्पणी और समर्थन करने के लिए शेयरों हमारे उत्साह

रुपया बढ़ जाता है और अधिक से अधिक हम मजेदार और रोचक जानकारी प्रदान करने के लिए प्रयास करते हैं ..

==========================================++++++++++++++++++++++

 http://i.imgur.com/0CxjSNo.gif

 http://i.imgur.com/6prqF04.gif

 http://i.imgur.com/PNr3oPd.gif

=======================================++++++++++++

અહી મુકવામા આવતી પોસ્ટ ઘણી બધી વેબ સાઇટ પરથી લઇ સંકલીત અહીં મુકવામાં આવતી પોસ્ટ વિવિધ વેબ સાઇટ

 ઉપરથી લેવામાં આવી છે એ અંગે કોઈ પણ સમસ્યા જણાય તો આપ મેસેજ મા સંપર્ક કરી શકો છો સંકલન નો હેતું ફક્ત 

 લોકો સુધી એક જ સ્થાનેથી પ્રાપ્ય થઇ શકે એટલો જ છે.  

અહી બધાનું નામ જણાવવું શક્ય નથી પરંતુ એ બધા જ મિત્રો (અને વેબ સાઇટ) નો આભારી છું 

જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે

9.10.13

આવા ઘરમાં પૈસા ક્યારેય નથી ટકતા, જાણો કારણો.


Vastu Tips For Get Money In House


આવા ઘરમાં પૈસા ક્યારેય નથી ટકતા, જાણો કારણો...................................


લગભગ એવું જોવા મળે છે કે અમુક લોકો દિવસ રાત મહેનત કરે છે પણ તેમના ઘરમાં પૈસા ટકતાં જ નથી. ક્યારેક ને ક્યારેક કોઇ રીતે ખર્ચ થઇ જાય છે અને અમુક નુકસાન થતું જાય છે.
આનુ કારણ ઘર, વાસ્તુ અનુસાર ના હોવું પણ બની શકે છે. અમે અહીં અમુક એવી વાતો બતાવવાના છીએ કે જેના કારણે ઘરમાં પૈસા ટકતાં નથી અને બરકત રહેતી નથી. જેથી તમે આ વાતોનું ધ્યાન રાખી શકો અને તમારી આ સમસ્યા દૂર થાય.

આગળ જાણો કયા કારણસર ઘરમાં પૈસા ટકતાં નથી..........

જે ઘર પર મંદિરની છાયા પડે છે,ત્યાં રહેનારા લોકોની આર્થિક સ્થિતિ બગડતી જાય છે.

ઘરમાં અંદરના રૂમોનો ઢાળ જો ઉત્તર દિશા તરફ હોય તો, એવું સમજવું કે ઘરનો માલિક હંમેશા દેવામાં ડુબેલો રહે છે.

ઘરમાં પૈસા રાખવાની અલમારી કે તિજોરી પર ભારે સામાન કે વજન ના રાખવું જોઇએ.

કિચન પ્લેટફોમૅ પર એંઠા વાસણો ના રાખવા જોઇએ જેનાથી ઘરમાં બરકત નથી આવતી.મકાનના ઉત્તર પુર્વી સ્થાનમાં લેટરિન-બાથરૂમમાં ના હોવું જોઇએ જેનાથી ઘરમાં દરિદ્રતા રહે છે. લેટરિન – બાથરૂમ વાયવ્ય દિશામાં વધારે શ્રેષ્ઠ ગણાય છે.

ઘરમાં વધારે પસ્તી-ભંગાર રહેવાને કારણે તેના ઘરમાં લક્ષ્મી નથી રહેતી.

ઘરમાં ગંદા પાણીનો નિકાલ ઇશાન કોણની તરફ ના હોવો જોઇએ એટલે કે ઇશાન ખુણામાં ગટર ના રાખવી જેનાથી ઘરમાં ખર્ચો વધે છે.

જે ઘરમાં તુટેલી ફર્શ હોય કે ફર્શ ઉંચીનીચી હોય તો ઘરમાં રહેનારાઓની આર્થિક સ્થિતિ ક્યારેય સારી નથી હોતી.
આઈન્સ્ટાઈન અને બ્રહ્માંડ... – ડૉ. પંકજ જોષી

વિશ્વનો વિચાર કર્યા સિવાય માનવી રહી શકતો નથી, કારણ કે પોતાનો વિચાર, જે બધા કરે છે, તે વિશ્વનો જ વિચાર છે. અને જ્યારે પણ વિશ્વનો વિચાર થાય છે ત્યારે તેમાં આપણે પોતે અને આપણું વ્યક્તિત્વ ભળી ગયા વિના રહેતાં નથી, કારણ કે અંતે તો વિશ્વનો વિચાર ને ચિંતન કરનાર પણ માનવ પોતે જ છે. આ જ વાતને આધુનિક વિજ્ઞાન અને ક્વોંટમ થિયરીમાં ‘Observer’ અને ‘Observed’ નો કોયડો કહેવાય છે.

આજની આપણી જ્ઞાન-વિજ્ઞાનની શોધ વિશે અદ્દભુત વાત એ છે કે વિશ્વની રચના, તેના મૂળભૂત અને પાયાના નિયમો વિશે કેટલીક સુંદર સમજણ આપણે મેળવી શક્યા છીએ. સાપેક્ષવાદ, જે વિશાળ સ્તરે તારાઓ અને તારાવિશ્વોનું સંચાલન કેવી રીતે થાય છે તે સમજાવે છે, અને ક્વોંટમ સિદ્ધાંત, જે અણુ-પરમાણુનું સૂક્ષ્મ વિજ્ઞાન છે, તે બંને બ્રહ્માંડની મૂળભૂત સંરચના તથા તેના પાયાના નિયમો વિશેનાં સુંદર ચિત્રો છે. તેના આધારે જ આપણે સંદેશાવ્યવહાર, ઉપગ્રહો, ઈલેક્ટ્રોનિક્સ વગેરે આધુનિક અનેક ક્રાંતિઓ રચી છે.

વીસમી સદીના શરૂઆતના દાયકાઓમાં આઈન્સ્ટાઈને આ બંને સિદ્ધાંતોના વિકાસમાં પાયાનો ફાળો આપ્યો. ફોટો-ઈલેક્ટ્રિક ઈફેક્ટ એટલે કે પ્રકાશ અને વિદ્યુત કેવી રીતે સંકળાયેલાં છે તેની સમજણ દ્વારા તેમણે ક્વોંટમ થિયરીમાં મૂળ પ્રકાશ આપ્યો. બીજી બાજુએ વિશેષ અને વિસ્તૃત સાપેક્ષવાદ, એટલે કે ‘સ્પેશિયલ’ અને ‘જનરલ થિયરી ઓફ રિલેટિવિટી’ એ તો તેમનાં પ્રિય સર્જન હતાં જેનાથી સમય તથા અવકાશ વિશેની આપણી આખીયે આજની સમજણ વિકસી અને આગળ વધી. પરંતુ અહીંયાં એક ભારે રસપ્રદ વાત અને ઘટના એ બની કે પોતાના જ સર્જનમાંથી જે અદ્દભુત પરિણામો અને નિષ્પત્તિઓ બહાર આવતી ગઈ તેને ઘણી વાર આઈન્સ્ટાઈન પોતે જ સ્વીકારી શકતા નહોતા અથવા માનવા તૈયાર થતા નહોતા ! સાલ 1915 સુધીમાં તેમણે બંને સાપેક્ષવાદનાં સમીકરણોની રચના પૂરી કરી અને ક્વોંટમ થિયરીમાં પણ તેમણે પોતાનું મૂળ પ્રદાન 1905 સુધીમાં કરી દીધેલું. આ પછી અને તે દરમિયાન વિશ્વમાં અનેક વિચારકો, વિજ્ઞાનીઓનું ધ્યાન આ મૂળ વિચારો તરફ દોરાયું અને આ એવી ક્રાંતિકારી ઘટનાઓ હતી કે તેને વિશે, તેનાં પરિણામો વિશે વિશ્વભરમાં અનેક સંશોધનો શરૂ થયાં અને હજુ આજે પણ આપણી એ સફર ચાલુ જ છે.

આવી ઘટનાઓ કે પરિણામો જેમ જેમ આઈન્સ્ટાઈનના ધ્યાન પર આવતાં ગયાં કે લવાતાં ગયાં તેમ અનેક વાર તેમનો પોતાનો તેના વિશેનો પ્રતિભાવ ભારે આશ્ચર્ય કે અચંબાનો જ હતો. આપણી તળપદી ભાષામાં કહીએ તો મોટા ભાગે તેઓ બોલી ઊઠતા, ‘અરે, આવું તે કંઈ હોતું હશે ?’ અથવા કોઈ વાર વધુ તીવ્ર રીતે પણ પ્રતિભાવ આપતા, ‘આ તે શી ગાંડા જેવી વાત છે !’ આવી થોડીક ઘટનાઓની વાત તથા ઉદાહરણો જાણવાં જેવાં છે. તે એમ બતાવે છે કે ઘણી વાર પોતાના જ સર્જનનાં પરિણામો માણસ પોતે પણ, પછી તે ભલેને આઈન્સ્ટાઈન કેમ ન હોય, પૂરાં જાણતો, સમજતો નથી. પોતે જ સર્જેલી ક્રાંતિ, આંદોલનનું પરિણામ તેને પોતાને પણ અનેક પ્રયત્નો અને મહેનત પછી જ સમજાય છે ! આવી પહેલી ઘટના સાપેક્ષવાદનાં સમીકરણો 1915માં પૂરા થતાં ટૂંક સમયમાં જ બની. રશિયન વિજ્ઞાની એલેકઝાન્ડર ફ્રીડમાને 1918માં આઈન્સ્ટાઈનનાં સમીકરણોના એવા ઉકેલ આપ્યા જે બતાવતા હતા કે આપણું નજરે દેખાતું તારાવિશ્વોથી બનેલું બ્રહ્માંડ વિકસી રહ્યું છે. આનો અર્થ એવો થાય કે બધાં જ તારાવિશ્વો એટલે કે ગેલેક્સીઓ એકબીજાથી દૂર જઈ રહી છે. આ વાત જ્યારે આઈન્સ્ટાઈન પાસે આવી ત્યારે તેમણે તરત તીવ્ર પ્રતિભાવ આપ્યો કે આવું તો બની જ કેવી રીતે શકે ? તેમના સમયમાં તો એવી વાત તથા માન્યતા પ્રચલિત હતી કે આખુંયે બ્રહ્માંડ સમગ્રતયા સંપૂર્ણ સ્થિર અને ગતિ વગરનું અચલ છે. અનેક દાયકાઓથી ચાલી આવતી આ માન્યતા બધાના મનમાં એવી તો ઘર કરી ગયેલી કે પોતાની થિયરીમાંથી આનાથી ઊલટું જ તારણ નીકળે છે એ વાત જાણતા આઈન્સ્ટાઈને પોતાને જ આઘાત અને આશ્ચર્ય થયાં ! તેઓ આ વાત માની જ ન શક્યા અને તેને ખોટી ઠરાવવાના પ્રયત્નો કરવા લાગ્યા. આ માટે તેમણે પોતાનાં મૂળ સમીકરણોમાં કેટલાક ફેરફારો પણ ‘એડ-હોક’ રીતે એટલે કે કોઈ સ્પષ્ટ તર્ક સિવાય કરી નાખ્યા !

આવા પ્રયત્નો કરીને તેમણે સ્થિર અથવા ‘સ્ટેટિક’ વિશ્વનાં મોડેલ તો બનાવ્યાં, પણ આ પછી થોડાં જ વર્ષોમાં મોટાં મોટાં દૂરબીનો દ્વારા દૂરના વિશ્વનાં અવલોકનો મળવા લાગ્યાં અને વિકસતા વિશ્વની વાત જ સાચી પડી અને સ્વીકારાઈ ! ત્યારે, અને ખાસ તો ખગોળશાસ્ત્રી એડવિન હબલના દૂર દૂરના તારા વિશ્વનાં અવલોકનો દ્વારા વિકસતા વિશ્વની વાત 1929માં સ્પષ્ટ થઈ તે સમયે આઈન્સ્ટાઈને છેવટે પોતાનો મત ફેરવ્યો. ત્યારે તેમણે કહ્યું કે વિકસતા વિશ્વની વાત અને મોડેલ પોતે તરત જ સ્વીકારવાની જરૂર હતી, અને આ તેમના જીવનની મોટામાં મોટી ભૂલ હતી ! જો તેમણે 1918માં જ આ વાત સ્વીકારી હોત તો પોતાની થિયરીના તારણ તરીકે તેઓ વિકસતા વિશ્વની ‘ભવિષ્યવાણી’ કરી શક્યા હોત અને એ રીતે વિજ્ઞાનને નવી જ દિશા મળી હોત ! આવી જ ઘટના ફરી 1939માં બની. ત્યારે ઓપન હાઈમર તથા સ્નાઈડર નામના બે અમેરિકન વિજ્ઞાનીઓએ આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત વાપરીને, સૂર્ય કરતાં વીસ-ત્રીસ ગણા તારાઓનું અંદરનું બળતણ ખૂટે ત્યારે તેની શી અંતિમ પરિસ્થિતિ થાય તે વિશે સંશોધન કર્યું. પોતાની અંદરનો હાઈડ્રોજન બાળીને તારાઓ ગરમી તથા પ્રકાશ આપે છે. આવા મોટા તારાઓની અંદરનું બળતણ જ્યારે ખલાસ થાય ત્યારે તેના પોતાના જ ગુરુત્વને કારણે આવા તારાનું સંકોચન થવા લાગે છે. ઓપન હાઈમર અને સ્નાઈડરે, અને 1938માં ભારતમાં દત્તે એવું બતાવ્યું કે આવા સંજોગોમાં, પહેલાં જે લાખો કિલોમીટરનો હતો તેવો તારો પણ ટાંકણીનાં ટોપકાં જેટલો નાનકડો સંકોચાઈ જાય છે.

ત્યારે વળી આઈન્સ્ટાઈને આ વાતનો સખત વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આવું તે કેવી રીતે બની શકે. તારાની આવી અંતિમ સ્થિતિ સંભવી જ ન શકે. આવું પુરવાર કરવા તેમણે એક સંશોધનપત્ર પણ લખ્યો, પરંતુ પછીથી તેમની સાબિતીમાં સંપૂર્ણતા દેખાઈ. આમાંથી જ પછી આગળ જતાં આજનું બ્લેકહોલ તથા ફાયરબોલનું વિજ્ઞાન વિકસ્યાં છે. આજે તો આ નવાં પરિણામોની આજના એસ્ટ્રો ફિઝિક્સમાં ખૂબ ઉપયોગિતા પુરવાર થઈ છે અને અનેક આધુનિક ખગોળશાસ્ત્રીય અવલોકનો સાથે બ્લેકહોલ તથા ફાયરબોલને સાંકળવામાં આવે છે. સ્થિર બ્રહ્માંડની રચના કરવા માટે પોતાનાં સમીકરણોમાં આઈન્સ્ટાઈને ‘કોસ્મોલોજિકલ ટર્મ’ નામનો એક સુધારો દાખલ કરેલો. હવે આ સાચું હશે કે કેમ તે વિશે તેઓ આખી જિંદગી શંકામાં રહેલા ! વળી આજનાં આધુનિક અવલોકનો એવું બતાવવા લાગ્યાં છે કે બ્રહ્માંડ કેવળ વિકસી જ નથી રહ્યું, પરંતુ વધુ ને વધુ ગતિથી વિકસતંલ જાય છે. જો સમીકરણોમાં આવી ‘કોસ્મોલોજિકલ ટર્મ’ હોય તો જ આવું શક્ય બને. આમ વિજ્ઞાનીઓ આજે તેનો વધુ ને વધુ ઉપયોગ કરવા લાગ્યા છે.

વળી એક વધારે દાખલો લઈએ તો, ક્વોંટમ સિદ્ધાંતના મૂળ જનકોમાં હોવા છતાં 1915 પછી ક્વોંટમ થિયરી જે રીતે વિકસતી ગઈ તથા જે પરિણામો આવતાં ગયાં તેના આઈન્સ્ટાઈન સખત વિરોધમાં હતા ! આધુનિક ક્વોંટમ થિયરી વધુ ને વધુ એવો નિર્દેશ કરતી ગઈ કે અણુ-પરમાણુના વિજ્ઞાનમાં સંભાવના એટલે કે ‘પ્રોબેબિલિટી’નું ભારે મહત્વ છે. આઈન્સ્ટાઈન આ વાત કદીયે અને આખી જિંદગી સ્વીકારી શક્યા નહીં ! આ સંદર્ભમાં તેમનું વાક્ય, ‘God does not play dice !’ ભારે પ્રસિદ્ધ છે. પણ તેના ઉત્તરમાં, તેમના જ સમયના વિખ્યાત ક્વોંટમ વિજ્ઞાની નીલ્સ બ્હોરે કહેલું કે ભાઈ, ગોડ શું વિચારે છે કે કરે છે તેની તમને શી ખબર હોય ! પરંતુ આવી કોઈ વાતની કંઈ અસર આઈન્સ્ટાઈન પર થતી નહીં, અને પોતાની માન્યતાઓને અનુરૂપ થિયરી બનાવવાના પ્રયત્ન તેઓ 1920 પછી જીવનભર કરતા રહ્યા, પરંતુ તેમને છેવટ સુધી સફળતા મળી નહીં.

અલબત્ત, આમાં આઈન્સ્ટાઈનની મહાનતા સહેજ પણ ઓછી હતી તેવું નથી. આમાંથી મૂળ વાત તો એ જ ફલિત થાય છે કે કોઈ પણ મહાન વિચાર કે શોધ કે સિદ્ધાંત ભલે તમારા દ્વારા જન્મ લે, પણ પછી એનું આખુંયે ભવિષ્ય અને પરિણામો તથા નિષ્પત્તિઓ તમારા હાથમાં નથી હોતાં. ઘણી વાર તો તે એવો પણ રસ્તો પકડે છે જે તમારી કલ્પનાની પણ બહાર હોય, પછી તેમાં આઈન્સ્ટાઈન પણ આવી જાય ! આથી જ, કોઈ સુંદર ઘટના કે આવિષ્કાર તમારા દ્વારા જન્મ પામે તો તેનો આનંદ જરૂર માણીએ, પણ એ ખાસ સમજવા જેવું છે કે આપણે તો ‘નિમિત્તમાત્ર’ છીએ. ખરેખર તો અનેક પરિબળો યોગ્ય રીતે એકત્ર થાય ત્યારે જ કોઈ પણ ઘટના જન્મ લેતી હોય છે. કુદરતની સમગ્રતામાં આ ઘટના શોધ કે વિચારનું ભાવિ જાણે વિશ્વ પોતે નક્કી કરે છે, જેના આપણે અંશમાત્ર છીએ. દરેક નવા વિચારને પોતાનું જ સ્વતંત્ર ભવિષ્ય હોય છે.

જોકે, એક મહાન સર્જન કરનારને માટે, અથવા કોઈને મોઢે પણ આવો ‘નિષ્કામ ભાવ’ કે નિર્મોહી સ્થિતિ કેળવવાં સરળ નથી. પોતાના નાનકડા ‘સર્જન’ માટે પણ માણસ તરત જ ભારે મમત્વ ઘડી લે છે કે ‘આ તો મેં કર્યું છે અને મારું છે.’ આનો મઝાનો દાખલો પોતાનાં જ સંતાનો છે ! ઘણી સમજણ કેળવી હોય છતાં તેમનું ભાવિ આપણી ઈચ્છા-કલ્પના પ્રમાણે જ ઘડાશે એવી આશા અને ધારણા ક્યાંક ઊંડે ઊંડે તો સહુને રહે જ છે, પછી તે સમાન્ય હોય કે અસામાન્ય વ્યક્તિ પણ ભલે હોય. પ્રયત્ન તો જરૂર કરીએ અને સફળ થવાય તો તેનો આનંદ પણ લઈએ, પણ છેવટે તો કોઈ કવિએ કહ્યું છે તેમ, ‘સૂર કી ગતિ મૈં ક્યા જાનું, બસ એક ભજન કરના જાનું…..’ એ ભાવથી ચાલતા રહીએ, કારણ કે બ્રહ્માંડની ગતિ છેવટે તો બ્રહ્માંડ જ નક્કી કરે છે ..!

( ‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2013માંથી સાભાર.. )
हर इंसान चाहता है की वो जब निराशा (Depression) में रहे , तब उसका साथ खास कर उसके घर वाले और उनके अपने (अभिभावक / माता-पिता / दोस्त ) ज़रूर दे | Depression एक ऐसी चीज़ है जहां इंसान अत्महत्या तक करने के लिए सोचता है और कई लोग कर भी लेते हैं | ज़्यादातर लोगों को गलत चीजों की लत तब गलती है जब वे Depression में रहते हैं | क्योंकि लोगों को गलती करने के बाद यह एहसास होता है कि अब उनका साथ कोई नहीं देगा , उनके लिए कोई नहीं है और उनका जीवन बेकार बन चुका है | कोई भी साधारण इंसान गलत करनेवाले का साथ छोड़ देता है क्योंकि वह नहीं चाहता कि उसके चरित्र पर कोई दाग लगे और उसका जीवन साफ रहे | लेकिन यह चीज़ किस हद तक सही है ? हम कैसे जिम्मेदार नागरिक है कि एक इंसान अगर गलती करे तो उसको समझने और उसके भविष्य के जीवन को सुधारने की जगह हम उसका साथ छोड़ देते हैं ! मेरी व्यक्तिगत राय यह है कि हमे इतना अच्छा चरित्र रख कर कोई फाइदा नहीं कि हम किसी के जीवन को सँवारने के काम ही ना आ पायें | हमारे आस-पास अगर कोई भी ऐसा इंसान हो जिसका थोड़ा सा साथ देने से उसका जीवन सुधर जाए तो उसका साथ हम सबको ज़रूर देना चाहिए | ऐसे किसी की भी सहायता कर के देखिये , मन को ज़रूर शांति मिलेगी क्योंकि आप उस इंसान के काम आ रहे हैं जिसको सच में आपकी ज़रूरत है |

तीन दिन पहले मेरे एक दोस्त के भाई ने अत्महत्या करने की कोशिश की सिर्फ इसलिए क्योंकि वो Depression में था | उसने कुछ गलती कर दी थी | लेकिन मेरे खयाल से वो गलती कोई बहुत बड़ा जुर्म नहीं था | उसे बहुत अच्छे से प्यार दे कर समझाया जा सकता था | उसके अभिभावक ने उसे नहीं समझाया हर बात पर डांटा और उसके साथ मार पीट की | कोई भी अगर गलती करता है या कर रहा है तो सबसे पहले हमारा फर्ज़ बनता है उसे समझाना, नाकि ताना मारना और गालीगलौज करना | जब किसी को अपनी गलतियों का अहसास होता है तब वो इंसान यही चाहता है कि कोई उसे समझे , उसे जीवन में आगे बढ़ने में साथ दे , नाकि हमेशा उसकी गलती का एहसास करबाकर उसे पीछे धकेल दे | कई लोग अपनी गलती का सुधार सिर्फ इसलिए नहीं कर पाते क्योंकि उनका साथ देने के लिए कोई नहीं होता है | तब वो इंसान इतना अकेला पड़ जाता है कि वो एक के बाद एक गलती करते ही जाता है और उसे नशे जैसे चीजों की लत लग जाती है | यहाँ पर हमारा समाज बहुत हद तक जिम्मेदार है कि हम एक गलत इंसान को अपनाना नहीं चाहते उसे सुधारना नहीं चाहते | हम हमेशा ऐसे अच्छे लोगों से घिरे रहना पसंद करते हैं , जिस अच्छाई का कोई वजूद ही नहीं है | एक-दो गलती से इंसान का जीवन खतम नहीं हो जाता | हम इंसान हैं गलतियाँ करते हैं फिर सीखते हैं और एक नयी राह की ओर फिर कदम बढ़ाते हैं |

નવ તિથિઓમાં દેવીના વિશિષ્ય ભોગ અર્પિત કરવામાં આવે છે



શાસ્ત્રો પ્રમાણે એકમથી લઈને નવ તિથિઓમાં દેવીના વિશિષ્ય ભોગ અર્પિત કરવામાં આવે છે તથા આ જ ભોગ ગરીબોમાં દાન કરવાથી સાધકની બધી મનોકામનોઓ પૂરી થઈ જાય છે. અને ધનની ક્યારેય ખોટ નથી પડતી.

માતાને કયા દિવસે કયો ભોગ લગાવવો, જાણવા માટે આગળ

એકમ(5 ઓક્ટોબર, શનિવાર) ના રોજ માતાને ઘીનો ભોગ લગાવો તથા તેનું દાન કરો. તેનાથી રોગીને કષ્ટોથી મુક્તિ મળે છે તથા તે નિરોગી થાય છે.

બીજ(6 ઓક્ટોબર, રવિવાર)ના રોજ માતાને શક્કરનો ભોગ લગાવો તથા તેનું દાન કરો. તેનાથી ભક્તોને દીર્ધાયુ પ્રાપ્ત થાય છે.

ત્રીજ(7 ઓક્ટોબર, સોમવાર)ના રોજ માતાને દૂધ ચઢાવો તથા તેનું દાન કરો. એમ કરવાથી બધા પ્રકારના દુઃખોથી મુક્તિ મળે છે.

-ચોથ(8 ઓક્ટોબર, મંગળવાર)ના રોજ માલપુઆ ચઢાવીને દાન કરો. તેનાથી બધા પ્રકારની સમસ્યાઓ આપમેળે જ દૂર થઈ જાય છે.

પાંચમ તિથિ(9 ઓક્ટોબર, બુધવારે) માતા દુર્ગાને કેળાનો ભાગ લગાવો અને ગરીબોમાં કેળાનું દાન કરો. તેનાથી તમારા પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

ષષ્ઠી તિથિ(10 ઓક્ટોબર, ગુરુવાર)ના રોજ માતા દુર્ગાને મધનો ભોગ લગાવો અને તેનું દાન કરવાથી પણ ગરીબ વ્યક્તિ પણ માલામાલ થઈ જાય છે.

સપ્તમી (11 ઓક્ટોબર, શુક્રવાર) માતાને ગોળની વસ્તુઓનો ભોગ લગાવો તથા દાન પણ કરો. તેનાથી દરિદ્રતાનો નાશ થાય છે.

-અષ્ઠમી(12 ઓક્ટોબર, શનિવાર)ના રોજ નારિયળનો ભોગ લગાવો તથા નારિયળનું દાન પણ કરો. તેનાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

નવમી((13 ઓક્ટોબર, રવિવાર)ના રોજ માતાને વિભિન્ન પ્રકારના અનાજોનો ભોગ લગાવો તથા યથા શક્તિ ગરીબોને દાન કરો. તેનાથી લોક-પરલોકમાં આનંદ અને વૈભવ પ્રાપ્ત થાય છે.
12 October Saturday, Sanyog For Tantrik Upay

12મીએ, શનિવારની રાત્રે બનશે અદભૂત યોગ, થશે ચમત્કારી કામ

એવા કાર્યોમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર હોય છે. લોકોની દરેક જણના કહેવાથી કે અંધવિશ્વાસમાં આવીને આવા તાંત્રિક કામ ન કરવા જોઈએ.

આ સપ્તાહે શનિવાર, 12 ઓક્ટોબર 2013ના રોજ ખૂબ જ ચમત્કારી ફળ આપનાર દિવસ છે. શનિવારની સાંજે અને રાત્રે નવરાત્રિની અષ્ઠમી તિથિની સાંજ હશે. આસમયે તુલા રાશિમાં સ્થિત શનિ ઉચ્ચ રાશિનો છે તથા સાથ જ રાહુ તથા બુધ પણ છે. આથી નવરાત્રિમાં શનિ, રાહુ અને બુધના પ્રભાવથી આ શનિવાર ખૂબ જ ખાસ બની રહ્યો છે. આ ગ્રહ સ્થિતિ અને આ યોગ 150 વર્ષ પછી બની રહ્યો છે. શનિવારની સાંજ અને રાત્રે કયા-કયા અદભૂત સંયોગ બની રહ્યા અને કયા-કયા ચમત્કારી કામ થશે....

શનિવારના દિવસે તથા નવરાત્રિની અષ્ઠમી તિથિ હોવાથી આ રાત વિશેષ બની ગઈ છે. એક મહત્વપૂર્ણ વાત એ છે કે શનિ તથા રાહુ બંને જ શુક્રનું સ્વામિત્વવાળી રાશિમાં સ્થિત છે. શુક્ર દૈત્યોના ગુરુ તથા દૈત્ય રાત્રિમાં બળવાન હોય છે. આ દિવસ સ્વાતિ નક્ષત્રમાં પણ રહેશે. આ નક્ષત્રનો સ્વામી રાહુ જ છે. આ રાત્રે શનિ તથા રાહુ બંને ગ્રહ બળવાન રહેશે. આ કારણે નવરાત્રીની અષ્ઠમી અને શનિવાર તાંત્રિક ઉપાયો માટે વિશેષ છે.

જાદુ, ટોણા, તંત્ર, મંત્ર, વશીકરણ તથા અન્ય રહસ્યમયી વિદ્યાઓ માટે આ રાત ખૂબ ખાસ ચે. આ વિદ્યાઓમાં પારંગત લોકો આ રાત્રનો ઉપયોગ, મારણ, ઉચ્ચાટન તથા વશીકરણ વગેરે માટે કરશે. અષ્ઠમી તિથિ તથા આ ગ્રહોના યોગમાં આ રાત વધુ ફળદાયી અને અસરકાર હોય છે.

શનિ, રાહુ અને બુધ તુલા રાશિમાં હોવુ અને નવરાત્રિની અષ્ઠમી તિથિનું હોવું અનોખો યોગ છે. આ યોગ લગભગ દોઢ સો વર્ષ પછી બન્યો છે. આ ગ્રહ સ્થિતિમાં કરવામાં આવતા ઉપાય ક્યારેય પણ નિષ્ફળ નથી થતા. શનિ તથા રાહુની તુલા રાશિમાં યુતિથી તથા તેમનું રાત્રિ ગોચરથી રાત્રે કરવામાં આવેલ ઉપાયથી અપાર શક્તિ સમાહિત થઈ જશે.

નવરાત્રિના એવા જ યોગમાં કાળો જાદુ કરનારાઓ પણ સક્રિય થઈ જાય છે, જે મોટાભાગે બીજાને પરેશાન કરવામાં માટે થાય છે. આ એક તામસિક ક્રિયા હોય છે, પરંતુ અષ્ઠમીના દિવસે શનિ-રાહુની તુલા રાશિની યુતિમાં કાળા જાદુના ખરાબ પ્રભાવોથી મુક્તિ મેળવી શકાય છે.

આગળ જાણો આ રાત્રે કયા-કયા ઉપાય કરી શકાય છે....

નવરાત્રિ અને શનિવારની રાત્રે હનુમાનજી કે શિવલિંગની સામે તેલનો દીવો પ્રગટાવો. આ ઉપાય ખૂબ જ ચમત્કારી ઉપાય છે. એમ કરવાથી તમારા રૂપિયા સાથે જોડાયેલી બધી સમસ્યાઓ આસાનીથી દૂર થઈ જાય છે. જે લોકો દરરોજ રાતના સમયે શિવલિંગની સામે દીવો પ્રગટાવવાથી તેમને સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થઈ જાય છે.

આ સપ્તાહે શનિવાર, 12 ઓક્ટોબર 2013ના રોજ ખૂબ જ ચમત્કારી ફળ આપનાર દિવસ છે. શનિવારની સાંજે અને રાત્રે નવરાત્રિની અષ્ઠમી તિથિની સાંજ હશે. આસમયે તુલા રાશિમાં સ્થિત શનિ ઉચ્ચ રાશિનો છે તથા સાથ જ રાહુ તથા બુધ પણ છે. આથી નવરાત્રિમાં શનિ, રાહુ અને બુધના પ્રભાવથી આ શનિવાર ખૂબ જ ખાસ બની રહ્યો છે. આ ગ્રહ સ્થિતિ અને આ યોગ 150 વર્ષ પછી બની રહ્યો છે.

Gayatri Mantra And Its Importance


Gayatri Mantra And Its Importance


મંત્ર જપ એવો ઉપાય છે જેનાથી કોઈ પણ પ્રકારની સમસ્યાને દૂર કરી શકાય છે. મંત્રોની શક્તિથી બધા પરિચિત છે. મનગમતી વસ્તુ પ્રાપ્તિ અને ઈચ્છા પૂર્તિ માટે મંત્ર જપથી વધારે સારું સાધન બીજું કોઈ નથી.

બધા મંત્રોમાં ગાયત્રી મંત્ર સૌથી દિવ્ય અને ચમત્કારી છે. આ જપથી વધારે ઝડપથી પરિણામ પ્રાપ્ત થાય છે. અહીં જાણો ગાયત્રી મંત્રથી જોડાયેલી વિશેષ વાતો અને ચમત્કારી ઉપાય....

મંત્ર વિદ્યાનો પ્રયોગ ભગવાનની ભક્તિ, બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ, દૈવીય કૃપા પ્રાપ્ત કરવાની સાથે જ સાંસારિક તથા ભૌતિક સુખ-સુવિધાઓ, ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા માટે પણ કરવામાં આવી શકે છે.

આ છે ગાયત્રી મંત્ર - ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्।

- શાસ્ત્રો અનુસાર ગાયત્રી મંત્રને વેદોનો સર્વશ્રેષ્ઠ મંત્ર કહેવામાં આવે છે. આ મંત્ર જપ માટે ત્રણ સમય જણાવાયા છે. આ ત્રણ સમયને સાંમધ્યકાળ પણ કહે છે. ગાયત્રી મંત્રના જપ પહેલો સમય છે પ્રાતઃકાળ, સૂર્યોદયથી થોડીવાર પહેલા મંત્ર જાપ શરૂ કરવા જોઈએ. જપ સૂર્યોદય સુધી કરવા જોઈએ.

મંત્ર જપ માટે બીજો સમય છે બપોરના મધ્યાહ્નનો. બપોરમાં આ મંત્રનો જપ કરવામાં આવે છે. તેના પછી ત્રીજો સમય છે સાંજના સૂર્યાસ્તના થોડાં સમય પહેલા ગાયત્રી મંત્રનો જાપ કરવાનો હોય તો મૌન રહીને માનસિક રીતે જાપ કરવો જોઈએ. મંત્ર જાપ મોટા અવાજે ક્યારેય ન કરવો.

ગાયત્રી મંત્ર –

ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।

ગાયત્રી મંત્રનો અર્થ – સૃષ્ટિકર્તા પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ, તે પરમાત્માના તેજ આપણી બુદ્ધિને સદમાર્ગ તરફ ચાલવા માટે પ્રેરિત કરો.

- શાસ્ત્રોમાં તેના જાપની વિધિ વિસ્તૃત રીતે આપવામાં આવી છે. આ મંત્રનો જપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય છે. આ મંત્રના જાપથી આપણે આ દસ લાભ પ્રાપ્ત થાય છે...
ઉત્સાહ તથા સકારાત્મકતા, ત્વચામાં ચમક આવે છે, તામસિકતાથી ધૃણા થાય છે, પરમાર્થમાં રૂચી જાગે છે, પૂર્વાભાસ થવા લાગે છે, આશીર્વાદ આપવાની શક્તિ વધે છે, નેત્રોમાં તેજ આવે છે, સ્વપ્ન સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ક્રોધ શાંત થાય છે, જ્ઞાનની વૃદ્ધિ થાય છે.


સંતાન સંબંધી પરેશાનીઓ દૂર કરવા માટે....

કોઈ દંપતિને સંતાન પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી હોય કે સંતાનથી દુઃખી અથવા સંતાન રોગગ્રસ્ત હોય તો સવારે પતિ-પત્ની એક સાથે સફેદ વસ્ત્ર ધારણ કરી यौं બીજ મંત્રનો સંપુટ લગાવીને ગાયત્રી મંત્રોનો જાપ કરો. સંતાન સંબંધી કોઈ પણ સમસ્યાથી ઝડપથી મુક્તિ મળે છે.

વિદ્યાર્થીઓ માટે...

ગાયત્રી મંત્રનો જાપ બધા માટે ઉપયોગી છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે તો આ મંત્ર વધારે લાભદાયક છે. રોજ આ મંત્રના એક સો આઠ વાર જપ કરવાથી વિદ્યાર્થીઓને બધા પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવામાં સરળતા થાય છે. વિદ્યાર્થીઓને વાંચવામાં મન નથી લાગતું, યાદ કરેલું ભૂલી જવું, ઝડપથી યાદ ન થવું વગેરે સમસ્યાઓથી છૂટકારો મળે છે.

દરિદ્રતાના નાશ માટે –

જો કોઈ વ્યક્તિના વેપાર, નોકરીમા હાનિ થઈ રહી છે કે કાર્યમાં સફળતા નથી મળતી, આવક ઓછી છે તથા ખર્ચ વધારે છે તો તેને ગાયત્રી મંત્રનો જપ ઘણો ફાયદો પહોંચે છે. શુક્રવારના પીળા વસ્ત્ર પહેરીને હાથી પર વિરાજમાન ગાયત્રી માતાનું ધ્યાન કરી ગાયત્રી મંત્રની આગળ અને પાછળ શ્રી સમ્પુટ લગાવીને દરિદ્રતાનો નાશ થાય છે. તેની સાથે જ રવિવારનું વ્રત કરવામાં આવે તો વધારે લાભ થાય છે.

શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે....

જો કોઈ વ્યક્તિ શત્રુઓના કારણે પરેશાનીઓ સહન કરી રહ્યા હોય તો તેને દરરોજ કે વિશેષ કરીને મંગળવાર, અમાસ અથવા રવિવારને લાલ વસ્ત્ર પહેરીને માતા દુર્ગાનું ધ્યાન કરતા ગાયત્રી મંત્રની આગળ તથા પાછળ क्लीं બીજ મંત્રના ત્રણ વાર સંપુટ લગાવીને એક સો આઠ વાર જપ કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે.

વિવાહ કાર્યમાં વાર લાગી રહી હોય તો...

જો કોઈ પણ જાતકના વિવાહમાં બીનજરૂરી વાર લાગી રહી હોય તો સોમવારના સવારના સમયે પીળા વસ્ત્ર ધારણ કરી માતા પાર્વતીનું ધ્યાન કરતા ह्रीं બીજ મંત્રનું સંપુટ લગાવીને એક સો આછ વાર જાપ કરવાથી વિવાહ કાર્યમાં આવનારા વિઘ્નો દૂર થાય છે. આ સાધના સ્ત્રી-પુરુષ બન્ને કરી શકે છે.

જો કોઈ રોગના કારણે સમસ્યાઓ આવી રહી હોય તો...

જો કોઈ રોગથી પીડાતા હોવ તો શુભ મુહૂર્તમાં એક કાંસાના પાત્રમાં જળ ભરી તથા તેની સામે લાલ આસન પર બેસી ગાયત્રી મંત્રની સાથે ऐं ह्रीं क्लीं નો સંપુટ લાગાવી ગાયત્રી મંત્રોનો જાપ કરો. જાપ પછી જળનું સેવન કરવાથી ગંભીર રોગનો નાશ થાય છે. આ જળ કોઈ અન્ય રોગીને પીવાથી તેનો પણ રોગનો નાશ થાય છે.

માત્ર એક ભુલને કારણે મર્યો રાવણ, નહીં તો રામ પણ મારી ન શકતા..........







REASON OF DEATH RAVANA ..This Was The Biggest Mistake Of Ravana.



માત્ર એક ભુલને કારણે મર્યો રાવણ, નહીં તો રામ પણ મારી ન શકતા.................


રાવણનું વધ ભગવાન શ્રીરામે કર્યું હતું આ વાત તો બધાં જાણે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રાવણ માત્ર એક ભુલને કારણે મૃત્યુ પામ્યો હતો નહિતર શ્રીરામ પણ તેને મારી ન શક્યા હોત. રાવણને એક નાની અમથી ભુલ બહુ ભારે પડી જેના કારણે તેની મૃત્યુ થઈ હતી.

જો તમે રાવણની તે ભુલ જાણવા માગતા હોવ આગળ ....

રાવણ વિશ્વ વિજેતા બનવા માગતો હતો. પરંતુ તે જાણતો હતો કે વરદાન વિના તે સંભવ નથી. ત્યારે તેણે ભગવાન બ્રહ્માની ઘોર તપસ્યા કરી છતાં બ્રહ્માએ તેને દર્શન ન આપ્યા જેથી તેણે તેનું માથું કાપવાની શરૂઆત કરી. આવું કરવાથી બ્રહ્માજીએ તેની સમક્ષ આવવું જ પડ્યું.
હ્માજીએ રાવણને વરદાન માગવાનું કહ્યું. ત્યારે રાવણે વરદાન માગ્યો કે हम काहू के मरहिं न मारैं મતલબ કે મને કોઈ મારી ન શકે. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આવું તો ન થઈ શકે. ત્યારે રાવણે કહ્યું हम काहू के मरहिं न मारैं, बानर, मनुज जाति दोइ बारैं મતલબ કે મનુષ્ય અને વાનરો સિવાય મને કોઈ જ મારી ન શકે.

બસ આ જ રાવણથી સૌથી મોટી ભુલ થઈ ગઈ કારણ કે તે મનુષ્ય અને વાનરોને પોતાનું ભોજન માનતો હતો અને બ્રહ્માજીએ પણ તેને વરદાન આપી દીધો, આ જ તેની સૌથી મોટી ભુલ હતી.

જે મનુષ્ય અને વાનરોને રાવણ પોતાનું ભોજન માનતો હતો તેમના કારણે જ તેની મૃત્યુ થઈ હતી. બોધ એ છે કે, કોઈ ફણ પ્રાણીને પોતાનાથી નોનો ન સમજવો જોઈએ. કારણ કે એક કીડી પણ હાથીના મોતનું કારણ બની શકે છે.

ગોળ એક અમૃત: જાણો આયુર્વેદ અને પ્રાચીન પરંપરામાં ગોળનું મહત્વ.............


Jaggery Is Benefit In Many Ways


ગોળ એક અમૃત: જાણો આયુર્વેદ અને પ્રાચીન પરંપરામાં ગોળનું મહત્વ.............


ગોળ એક સામાન્ય વસ્તુ છે જે દરેક ઘરમાં ઉપલબ્ધ હોય છે. ગોળનું નામ સાંભળતા જ આપણને તેનો ગળ્યો સ્વાદ યાદ આવી જતો હોય છે પરંતુ શું તમે જાણો છો સરળતાથી મળી રહેતા ગોળનું આપણા આયુર્વેદ અને પ્રાચીન પરંપરાઓમાં વિશેષ મહત્વ છે. આયુર્વેદમાં ગોળને અમૃત માનવામાં આવે છે. કારણે કે કેટલાય અસાધ્ય રોગોમાં ગોળ અત્યંત ગુણકારી સાબિત થયું છે. તમે ગોળમાંથી બનાવેલી અનેક વસ્તુઓ તો ખાધી જ હશે. પરંતુ શું તમે જાણો છો આપણી પરંપરાઓથી ગોષ કઈ રીતે જોડાયેલું છે. ગોળ જેટલો ગળ્યો હોય છે તેના ફાયદા તેનાથી પણ વધારે ગળ્યા છે તો ચાલો આજે તમને જણાવી દઈએ ગુણકારી ગોળના આયુર્વેદિર ગુણો અને તેનાથી જોડાયેલી પરંપરાઓ વિશે.

આગળ જાણો સામાન્ય ગણાતા ગોળના અસામાન્ય ફાયદા અને વિશેષ પરંપરા વિશે.............

- પ્રાચીન પરંપરાઓમાંની એક પરંપરા છે ઘરમાંથી નીકળતાં પહેલા ગોળ ખાવું જોઈએ. મોટાભાગના ઘરના વૃદ્ધ લોકો કોઈ પણ વ્યક્તિને ઘરમાંથી બહાર નીકળતા પહેલા ગોળ ખાવાની સલાહ આપે છે. સફળ થવા માટે આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચાર માટે ગોળ ખાવું જરૂરી છે. એવું માનવામાં આવે છે ગોળ ખાઈને કોઈપણ કાર્ય કરવાથી આપણને સફળતા મળે છે. જેથી ઘરેથી નિકળતી વખતે ગોળ અવશ્ય ખાવું જોઈએ.

જ્યોતિષ અનુસાર જન્મકુંડળીમાં સૂર્ય ગ્રહ વધારે મજબૂત સ્થિતિમાં ન હોવાથી કે અશુભ સ્થિતિમાં હોય તો નકારાત્મક વિચાર વધારે આવે છે. એવું માનવામાં આવે છે કે ગોળ ખાવાથી સૂર્યગ્રહનો અશુભ પ્રભાવ ઓછો થઈ જાય છે. આ માટે કહેવામાં આવે છે કે ઘરથી નિકળતી વખતે ગોળ ખાવાથી આપણા બધા નકારાત્મક વિચાર દૂર થઈ જાય છે અને આપણી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

વિવાહ સમયે કે સગાઈ સમયે ગોળધાણાં ખવડાવામાં આવે છે તેની પાછળ શુભ શુકનની પરંપરા છે અને અવસર સમયે તળેલું-તીખું એવું ભોજન લેવાયું હોય છે, ગોળ-ધાણાં આ માટે આયુર્વેદની દૃષ્ટિએ લાભકારી હોય છે. તેની સાથે જ આ મેડિકલ માન્યતા છે કે ગળ્યું ખાવાથી લોહીનો સંચાર વધે છે. એનર્જી મળે છે. આ માટે ઘરથી નીકળતા પહેલા થોડો ગોળ જરૂર ખાવો જોઈએ. જેનાથી દિવસભર એનર્જી રહે છે અને આયુર્વેદની દૃષ્ટિએ ગોળ તણાવ પણ દૂર કરે છે. જેથી ગોળમાં આ બધા લાભ તેને શુભ શુકન બનાવીને પૂર્વજોએ પરંપરામાં સામેલ કર્યું છે.

આગળ જાણો ગોળના ઔષધિક મહત્વ.....

વીસ ગ્રામ ગોળ અને એક ચમચી આંબળાનું ચૂર્ણ દરરોજ લેવાથી વીર્યની દુર્બળતા દૂર થઈ જાય છે અને વીર્ય સશક્ત બને છે.

ગોળને સાકર કરતાં વધારે પૌષ્ટિક માનવામાં આવે છે, કારણ કે તેને બનાવવામાં કોઈ પણ પ્રકારનાં કેમિકલનો ઉપયોગ થતો નથી, એ વાત અલગ છે કે આજે કેમિકલનો ઉપયોગ થાય છે. ગોળ ખાવાથી ગળાના તથા ફેફસાના રોગો દૂર થાય છે.

ગોળ ખાવાના ઘણાં આયુર્વેદિક લાભ પણ છે. આયુર્વેદમાં ગોળને પણ ઔષધી જ માનવામાં આવ્યું છે. ઠંડીના દિવસોમાં ગોળ અને તલના લાડવા આપણા શરીરને વિશેષ લાભ પહોંચાડે છે. કફ, શરદી-તાવ જેવી બિમારીમાં પણ ગોળ લાભદાયક રહે છે અને શરીરનું રક્ષણ કરે છે.

ઠંડી લાગી જવાથી શરદી કે ઊધરસ થઈ હોય, એવી હાલતમાં સૂંઠ અને મરીનું ચૂર્ણ એક-એક ગ્રામ લઈને દસ ગ્રામ ગોળમાં મેળવીને સવાર-સાંજ ખાવાથી તરત ફાયદો થાય છે.

ગોળ હૃદયના રોગીઓ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. ભોજન પછી ગોળ સાવર-સાંજ ખાવાથી નબળા હૃદયને બળ આપે છે.

ભોજન પછી દરરોજ ગોળની ગાંગડી મોંમાં ચૂસવાથી પાચન શક્તિમાં વધારો થાય છે, વાયુવિકાર દૂર થાય છે. એસિડિટી થતી નથી.

250 ગ્રામ પીસેલું જીરું અને 125 ગ્રામ ગોળને મિક્ષ કરી તેની ગોળીઓ બનાવી લો. બે-બે ગોળી દરરોજ દિવસમાં ત્રણવાર ખાવાથી મૂત્ર સંબંધિત રોગોમાં લાભ થાય છે, જેવા કે પેશાબ અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી વગેરેમાં લાભ આપે છે.

ઠંડીના દિવસોમાં ગોળ, આદું અને તુલસીના પાનનો ઉકાળો બનાવી હૂંફાળું પીવાથી શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યા થતી નથી અને ઠંડી સામે રક્ષણ મળે છે.

ગોળની સાથે અજમો અને શેકેલું જીરું ભોજન પછી થોડું ખાવાથી આફરો દૂર થઈ જાય છે.

ઠંડીની ઋતુમાં તલ, ગોળના લાડું ખાવાથી ઠંડીમાં લાભકારી બની શક્તિ અને વીર્યવર્ધક પૂરવાર થાય છે.

લોહીવિકાર વાળાને ગોળની ચા, દૂધની સાથે કે ગોળ કે ગોળની લસ્સી પીવાથી લાભ થાય છે.

કાંટો લાગેલો હોય ત્યાં ગરમ કરેલો ગોળ થોડીવાર બાંધી દો કાંટો તેની જાતે જ નીકળી જશે. આ રીતે પણ ગોળ ઉપયોગી છે.

ખાંડની ચા પીવાની જગ્યાએ ગોળની ચા આરોગ્ય માટે લાભકારી માનવામાં આવે છે.

- ગોળ અને શુદ્ધ ઘી મેળવીને ખાવાથી શરીર સશક્ત બને છે, તેનાથી રક્તશુદ્ધિ પણ થાય છે.

એસિડિટીની સમસ્યાવાળાને રોજ સવારે થોડો ગોળ ચૂસવો જોઈએ. જેથી તેમને ચોક્કસ ફાયદો થાય છે.

ઓળખવામાં ભૂલ ન કરતા, શનિદેવ તમારી પાસે આવશે

Shanidev Will Come To Near You, Don't Ignore


ઓળખવામાં ભૂલ ન કરતા, શનિદેવ તમારી પાસે આવશે


હવે શનિદેવ પોતે તમને સાવધાન કરવા આવશે, રાશિ બદલતા પહેલા શનિદેવ પોતાનું રૂપ બદલી તમારી પાસે આવશે. જે લોકોને સાડાસાતી, ઢૈય્યા શરૂ થવાની છે કે શનિની નજર લાગવાની છે. એવા લોકોને સાવધાન રહેવાની જરૂર છે કારણ કે તમને સાવધાન કરવા માટે શનિદેવ પોતે તમારી પાસે આવી શકે. જ્યારે જ્યારે શનિ રાશિ બદલે છે ત્યારે ત્યારે પોતે રૂપ બદલીને આવે છે. શનિદેવ કોઈપણ રૂપમાં તમારી પાસે આવી શકે છે હવે તમારે ઓળખવાના છે કે કયા રૂપમાં તેઓ તમારી પાસે આવશે.

આગળ જાણો કેવા હોઈ શકે છે શનિદેવ...

શનિનો રંગ કાળો છે. જો અચાનક કોઈ કાળો માણસ તમને મળવા આવે અને તમને સારા રસ્તે ચાલવાનું કહે તો સમજી લેશો કે શનિદેવ છે.

જ્યોતિષ પ્રમાણે શનિદેવ લંગડા છે જો કોઈ લંગડો વ્યક્તિ કોઈ અપંગ તમને મળવા આવે અને ભલાઈની વાત કરે તો સમજી લેવું કે શનિદેવ આવ્યા છે.

કોઈ આંધળો વ્યક્તિ તમારી પાસે મદદ માગે અને યોગ્ય વાત કહે તો તમારે સમજવું જોઈએ કે શનિદેવ છે.

જો કોઈ મોટી દાઢીવાળો વ્યક્તિ તમને મળે તો તેની મદદ જરૂર કરો તો શનિદેવનું જ રૂપ હોઈ શકે છે.

શનિ ગરીબ વર્ગનું પ્રતિનિધિત્વ હોય છે અને જો ગરીબ વર્ગ તરફથી તમને કોઈ નુકસાન થઈ રહ્યું હોય કે કોઈ ગરીબથી લડાઈ ઝઘડો થઈ રહ્યો હોય તો સાવધ રહેવું.

-થાકેલો, દરેક કામ ધીરે કરનાર કાળો અને વૃદ્ધ માણસ શનિદેવનું રૂપ હોઈ શકે છે. સાવધાનીથી રહેવું.

-Nature Care

कटि स्नान ; सब रोगों की एकदवा-’मिटटी,पानी,धूप,हवा’------------------------------Nature Care Dr. K.Dwivediसाधन :-टब, छोटा स्टूल, छोटा तौलिया,कम्बल, पानी |जल का तापमान :-कटि स्नान में प्रयोग में लाये जानेवाले जल का तापमान शरीर केतापमान से कम रहना चाहिएतभी जल का प्रभाव शरीर परहो सकेगा | सामान्यतः गर्मी केदिनों में जल का तापमान 55डिग्री फारनहाईट तथा सर्दियों में७५ से ८४ डिग्री फारनहाईटरहना चाहिए | ठन्डे जल का तापमानबढ़ाने के लिए उसमे अलग से गर्मपानी मिला देना चाहिए |कटि स्नान करने का समय :-कटि स्नान प्रारंभ में पांच मिनट सेशुरू करके प्रतिदिन एक -एकमिनट बढ़ाते हुए पंद्रह मिनट तककिया जा सकता है | बच्चों व्कमजोर व्यक्तियों को पांच मिनटसे अधिक नही लेना चाहिए |प्रातः खाली पेट कटि स्नानकरना चाहिए |कटि स्नान करने की विधि :-टब में लगभग 12 से 14 इंच गहराईतक पानी भरें जिससे कि टब मेंबैठने पर पानी उपर नाभि तकएवं नीचे आधी जंघाओं तक आजाये |टब में अधलेटी अवस्था [ जैसेआराम कुर्सी पर बैठते हैं ] में बैठजाएँ | दोनों पैर टब के बाहरचौकी पर रख लें | ध्यान रहेकि पानी से पैर न भीगने पायें |रोयेंदार तौलिये से पेडू पर दायें सेबाएं अर्ध चंद्राकर घर्षण करें[ मालिश करें ] |कटि स्नान के बाद शरीर मेंगर्मी लाने के लिए लगभग 15-20 मिनट टहलें,व्यायाम करेंअथवा कम्बल ओढ़कर लेट जाएँ |विशेष :-यदि कमजोरी अधिकहो तो सिर को छोडकर टबसहित पूरा शरीर एक कम्बल सेढक लें |कटि स्नान करते समय तब मेंपीछे से पीठ को बीच-बीच मेंहिलाते रहें, इससे रीढ़ के स्नायुउद्दीप्त होंगे फलस्वरूप शरीर मेंचेतनता आयेगी औररोगप्रतिरोधक क्षमता मेंभी वृद्धि होगी |कटि स्नान से शरीर में होनेवाली प्रतिक्रिया :-साधारण सी दिखने वाली इसक्रिया का प्रभाव सम्पूर्ण शरीर परपड़ता है | यदि यह कहा जायकि “कटि स्नान प्राकृतिकचिकित्सा की संजीवनी बूटी है |”तो अतिशयोक्ति नही होगा |पानी का तापमान शरीर के तापमान सेकम होने के कारण टब में बैठते ही पेडूकी अतिरिक्त गर्मी कम होकरपूरे पाचन तंत्र में संकुचनकी स्थिति उत्पन्न होती हैजिससे कई अंग जैसे लीवर,क्लोमग्रंथि,आमाशय, छोटी आंतआदि में सक्रियता आती है और वेपर्याप्त मात्रा में पाचकरसों को स्रवित करना प्रारंभ करदेते हैं जिससे पाचन तंत्रकी मजबूती के साथ ही जीर्ण कब्ज,जो सभी रोगों की जननी है , सेभी छुटकारा मिलता है | इसकेअतिरिक्त रीढ़ की हड्डी मेंपानी का स्पर्श होने से स्नायुविकरोग भी दूर हो जाते हैं |कटि स्नान से लाभ :-छोटी व् बड़ी आंत केअधिकांशतः सभी रोगकटि स्नान से दूर हो जाते हैं |पेडू की अतिरिक्त गर्मी केफलस्वरूप मल में जो स्वाभाविकनमी होती है, वह सूख जाती हैजिसके कारण मल आंत में सूखकरकड़ा हो जाता है,इसी अवस्था को जीर्ण कब्जया कोष्ठबद्धता कहते हैं |कटि स्नान से पेटकी अतिरिक्त गर्मी पानी मेंनिकल जाती है एवं कब्ज सेमुक्ति मिलती है |दर्द रहित पेडू की पुरानी सूजनमें विशेष लाभकारी है |पीलिया रोग में स्टीम बाथ केतुरंत बाद २-३ मिनटकटि स्नान करने के उपरांत पूर्णस्नान करने से पित्त पर्याप्तमात्रा में निकलता है एवंपीलिया समाप्त हो जाता है |नये एक्जिमा में कटि स्नानअत्यंत लाभकारी है |नियमित कटि स्नान करने सेशरीर की जीवनीशक्तिआश्चर्यजनक रूप से बढ़ जाती हैजिससे कैंसर, लकवा, क्षय जैसेभयंकर रोगों से बचाव होता है |कटि स्नान जननेंद्रियकी दुर्बलता एवं वीर्य के पतलेपनको दूर करता है |बबासीर , आंत, गर्भाशयकी रक्तस्राव की अवस्था मेंकटि स्नान अत्यंत हितकारी है| रक्तस्राव की अवस्था मेंकटि स्नान लेते समय यह ध्यानरहे कि दोनों पैर चौकी पर रखनेकी बजाय किसी बर्तन में गर्मपानी में डुबोकर रखें |इसक्रिया को करने से पेडू मेंस्थित अतिरिक्त रक्त पैरों मेंउतर जाता है तथा पानी की ठंडकसे पेडू सिकुड़ने लगता है,फलस्वरूप रक्तस्राव बंदहो जाता है |अनिद्रा, हिस्टीरिया,चिडचिडापन, स्नायुविकरोगों में कटि स्नानअति लाभप्रद है |स्त्री रोगों में कटि स्नान से लाभ :-स्त्रियों के लगभग सभी रोगों मेंकटि स्नान बहुत लाभकारी है |पुराने रक्तप्रदर, श्वेतप्रदर मेंकटि स्नान लाभ करता है |गर्भाशय की स्थानभ्रष्टता एवंजब गर्भाशय आदि अन्दर सेबाहर आते मालूमहों तो कटि स्नान सेआश्चर्यजनक रूप से लाभपहुंचता है |गर्भवती स्त्री प्रसव से दो माहपूर्व से ही कटि स्नानलेना प्रारंभ कर दे तो बिना कष्टके सामान्य रूप से प्रसव होगा |गर्भपात के लक्षण दिखाई पड़नेपर यदि २० से ३० मिनट तककटि स्नान लिया जायतो गर्भपात रुक सकता है | इसअवस्था में सावधानीपूर्वक पेटको बहुत धीरे -धीरेरगड़ना आवश्यक है |बाल रोगों में कटि स्नान से लाभ :-बच्चों को कटि स्नान करने सेउनकी स्मरण शक्ति व्बुद्धि का विकास होता है |बच्चों को सोते समय बिस्तर मेंपेशाब करना एक ऐसा रोग हैजिससे बच्चे में इस रोग केआलावा हीनभावना आनी प्रारंभहो जाती है | इनबच्चों को यदि नियमितकटि स्नान कराना प्रारंभ करदिया जाय तो कुछ ही दिनों मेंरोग से छुटकारा मिल जाता है |सावधानियां :-कटि स्नान खाली पेट ही लें |कटि स्नान ऐसी जगह मेंकरना चाहिए, जहाँ परठंडी हवा के झोंके न आ रहे हों |पानी और शरीर का तापमानसमान नही होना चाहिए |कटि स्नान लेने के डेढ़-दो घंटेतक स्नान नहीं करना चाहिए |न्युमोनिया, गठिया, दमा,साईटिका के तीव्र दर्द मेंकटि स्नान नही लेना चाहिए |एपेंडिक्स, गर्भाशय, मूत्राशय,बड़ी आंत, जननेंद्रिय केविभिन्न अवयवों की नई सूजनतथा ह्रदय रोग की ख़राबस्थिति में कभी भी ठन्डेपानी से कटि स्नाननहीं करना चाहिए |पहले दिन ही अधिक ठन्डे जलसे कटि स्नाननहीं करना चाहिएबल्कि प्रथम दो-तीन दिनसामान्य जल [ शरीर के तापमानसे थोडा कम तापमान का जल ]का प्रयोग करें तत्पश्चातक्रमशः प्रतिदिन जल केतापमान को कम करते जाएँ |सामान्यतः कटि स्नान लम्बे समयतक करने पर भी कोई हानि नही हैबल्कि लम्बे समय तक ही क्यों इसेअपनी जीवन शैली मेंही सम्मिलित कर लेना चाहिए,ताकि आपका शरीर स्वस्थ्य एवंजीवन सुखमय रहे |


============================
सोरायसिस की चिकित्सा

एलोपेथिक चिकित्सा मे यह रोगलाईलाज माना गया है। उनकेमतानुसार यह रोग सारे जीवनभुगतना पडता है।लेकिन कुछकुदरती चीजें हैं जो इस रोग को काबू में रखती हैं lसोरियासिस एक प्रकार का चर्मरोग है जिसमें त्वचा में सेल्सकी तादाद बढने लगती है।चमडी मोटी होने लगती है और उसपर खुरंड और पपडियां उत्पन्नहो जाती हैं। ये पपडियां सफ़ेद चमकीली हो सकती हैं।इसरोग के भयानक रुप में पूरा शरीरमोटी लाल रंग की पपडीदारचमडी से ढक जाता है।यह रोगअधिकतर केहुनी,घुटनों औरखोपडी पर होता है। अच्छी बात येकि यह रोग छूतहा याने संक्रामककिस्म का नहीं है।

चिकित्सा-----------*इस रोग को ठीक करने के लियेजीवन शैली में बदलावकरना जरूरी है। सर्दी के दिनों में ३लीटर और गर्मी के मौसम मे ५ से ६लीटर पानी पीने की आदत बनावें।इससे विजातीय पदार्थ शरीर सेबाहर निकलेंगे।

*सोरियासिसचिकित्सा का एक नियम यह हैकि रोगी को १० से १५ दिन तकसिर्फ़ फ़लाहार पर रखना चाहिये।उसके बाद दूध और फ़लों का रस चालू करना चाहिय l खाने में नमक वर्जित है।

*धूम्रपान करना और अधिकशराब पीना विशेष रूप सेहानि कारक है। ज्यादा मिर्चमसालेदार चीजें न खाएं।

1- केले का पत्ता प्रभावित जगह पररखें। ऊपर कपडा लपेटें। फ़ायदा होगा।2- नींबू के रस मेंथोडा पानी मिलाकर रोग स्थल परलगाने से सुकून मिलता है।नींबू का रस तीन घंटे के अंतर सेदिन में ५ बार पीते रहने से रोगठीक होने लगता है।3- बादाम १० नग का पावडर बनाले।इसे पानी में उबालें। यहदवा सोरियासिस रोग की जगह परलगावें। रात भर लगी रहने के बाद सुबहमे पानी से धो डालें। यह उपचार अच्छेपरिणाम प्रदर्शित करता है।4- पत्ता गोभी सोरियासिस मेंअच्छा प्रभाव दिखाता है। उपरका पत्ता लें। इसे पानी से धोलें।हथेली से दबाकर सपाट कर लें।इसेथोडा सा गरम करके प्रभावितहिस्से पर रखकर उपरसूती कपडा लपेट दें। यह उपचार लम्बेसमय तक दिन में दो बार करने सेजबर्दस्त फ़ायदा होता है।5- एक चम्मच चंदन का पावडर लें।इसेआधा लिटर में पानी मे उबालें।तीसरा हिस्सा रहने पर उतारलें। अबइसमें थोडा गुलाब जल और शकरमिला दें। यह दवा दिन में ३ बारपियें।बहुत कारगर उपचार है।

-Dr. K.DWIVEDI
==================
-नेत्रज्योति-------------------

रोज नहाने से पूर्वपांव के अंगूठों में सरसों का तेल मलें,नेत्रज्योति बुढ़ापे तक कमजोरनहीं होगी।
================
स्वस्थ जीवनशैली के लिए कुछ टिप्स*********************

1. शारीरिक गतिविधियों मेंज्यादा से ज्यादा लिप्त रहें.सुबहउठने पर नहाने से पूर्व करीब 15 बारघुटनों को मोड़ें.15 बार छलांग लगाएं।

2. नाश्ते में कुछमूंगफली या मूंगफली का मक्खनशामिल करें.ऐसा करने से करीब 12घंटों तक आपकी भूख शांत रहेगी।

3. प्रात:कालीन सैर पर जाएं लेकिनइस दौरान अपनी साधारण चाल सेदोगुना तेज चलें.यहआपकी कैलोरी को जलाएगी औरस्वस्थ बने रहने में मदद करेगी।

4. कार्यालय में कुर्सी पर बैठे हुएभी आप कसरत कर सकतेहैं.मांसपेशियों को खींचते हुएअपनी जंघाओं को हल्के से उठाएं औरउसके बाद वापस नीचे रखें.ऐसा करतेसमय आपके पैर जमीन से दो इंचऊपर हों.इससे पांवकी मांसपेशियों में कसाव आएगा।

5. कोशिश करें लिफ्ट औरस्वचालित सीढ़ियों का प्रयोग नकरें.सीढ़ियों सेचलें.आपका कार्यालययदि 20वीं मंजिल परहो तो 18वीं मंजिल के बादसीढ़ियों से जाएं।

6. कार को कार्यालय और बाजार सेकुछ दूरी पर खड़ी करें या कोशिशकरें कि पैदल ही जाएं।

7. आप अपने स्मार्टफोन परफिटनेस एप्लीकेशंस भी डाउनलोडकर सकते हैं यह आपके आहार चार्टको जांचने में आपकी मदद करेगा.- Dr. kailash Dwivedi
============
-जब नींद न आये- *****************Nature 1- पैर के नाखूनों परतेल लगायें।

2- तुलसी के एक मुट्ठी भर पत्ते तकिये के नीचे रख दें।

3-भांग पीस कर तलुवों पर लगायें,जल्द नींद आ जायेगी।
======
गठिया (जोड़ों का दर्द)

**बथुआ के ताजा पत्तों का रस पन्द्रहग्राम प्रतिदिन पीने से गठिया दूरहोता है। इस रस में नमक-चीनी आदि कुछ न मिलाएँ।नित्य प्रातः खाली पेट लें या फिरशाम चार बजे। इसके लेने के आगे पीछेदो - दो घंटे कुछ न लें। दो तीन माह तक लें।

**नागौरी असगन्ध की जड़ और खांडदोनों समभाग लेकर कूट-पीस कपड़ेसे छानकर बारिक चुर्ण बना लें औरकिसी काँच के पात्र में रख लें।प्रतिदिन प्रातः व शाम चार सेछः ग्राम चुर्ण गर्म दूध के साथ खायें।आवश्यकतानुसार तीन सप्ताह सेछः सप्ताह तक लें। इस योग सेगठिया का वह रोगी जिसने खाटपकड़ ली हो वह भी स्वस्थहो जाता है। कमर-दर्द, हाथ-पाँवजंघाओं का दर्द एवंदुर्बलता मिटती है। यह एक उच्चकोटि का टॉनिक है।
=============
1- भुजंगिनी मुद्रा से पेटके सभी रोग भी समाप्त हो जाते हैं।

2- भुजंगिनी मुद्रा पेट के अंदर भोजनपचाने के रस को पैदा करनेवाली ग्रंथियों और भोजनकी नलियों को नया जीवन देती है।

3- इसको करने से गैस का पुराने से पुराना रोग भी दूर हो जाता है l

विधि ---------किसी भी आसन मेंआराम से बैठकर अपने पूरे शरीरको ढीला छोड़ दें। इसके बाद मुंह सेसांस लेते हुए वायु को इस तरह पेट मेंपहुंचाने की कोशिश करें कि जैसेआप पानी के घूंट पी रहे हों। अब पेटको फुला लें। इसके बाद डकार के साथसांस को बाहर छोड़ दें। फिर इसक्रिया को दुबारा करें।

कितने समय तक करें===============

इस मुद्रा को आप जितनी भी देरतक चाहे कर सकते हैं।-Dr. K.DWIVEDI
============
आयुर्वेद का कथन है -”प्रकृति स्मामिक्ष स्मरेत ”अर्थात ‘प्रकृति का सदैव अनुसरणकरो |” मनुष्यों से दूर जंगल में रहनेवाले जीव-जंतु कम बीमार पड़ते हैंऔर बीमार पड़ने पर जल्दही स्वस्थ्य हो जाते हैं | उन्हेंकिसी दवा की जरूरत नही पडती वेकोई टॉनिक नही पीते फिर भी वेमनुष्य से अधिक शक्तिशाली होतेहैं | उनकी माँ गर्भकाल में कोईकथित स्वस्थ्य संबर्द्धकऔषधियां नही लेती न ही कोईविटामिन/आयरनआदि खनिजों को गोलियों के रूपखाती हैं फिर भी वेबिना किसी सर्जरी,बिना किसीकष्ट के अपने बच्चे को जन्मदेती हैं,वह भी ऐसे बच्चेको जो जन्म से ही फुदकने दौड़नेलगे, मनुष्य की तरह कोमल सुकुमारशिशु की तरह नहीं जिसको एकफूल की चोट लगते ही शरीर पर खूनकी लाली उभर आये | ऐसा इसलिएहै की जानवर प्रकृति के सानिध्यमें रहते हैं और प्रकृति प्रदत्तभोजन करते हैं |
=================
तोतलापन-इस समस्या से जूझने वालेबच्चों को कुछ समय तक रोज एकहरा ताजा आंवला खिलायें। लाभहोगा।
===========
इमली केबीज दूध में कुछ देर पकाकर औरउसका छिलका उतारकर सफ़ेदगिरी को बारीक पीस ले और घी मेंभून लें, इसके बाद सामान मात्रा मेंमिश्री मिलाकर रख लें | इसेप्रातः एवं शाम को ५-५ ग्राम दूध केसाथ सेवन करने से वीर्य पुष्टहो जाता है | बल और स्तम्भनशक्ति बढ़ती है तथा स्व-प्रमेह नष्टहो जाता है |
============
नाक से बहता खून...नकसीर को तत्काल रोक देगा यह देशी उपाय ---_____________________________________________________

अक्सर देखा जाता है कि कुछ लोगों को चाहे जब नकसीर की समस्या से जूझना पड़ता है। कुछ गर्म खा लेने या बाहर की गर्मी लग जाने से नकसीर की समस्या कुछ लोगों को ज्यादा ही परेशान करती है। कुछ लोग अपनी नाजुक प्रकृति के कारण नाक पर जरा सी चोट लगते ही नाक से खून बहने की परेशानी से घिर जाते है।

किसी किसी को तो यह समस्या हर एक परमानेंट बीमारी की तरह होती जा रही है। लेकिन अब घबराइए नहीं कुछ देशी नुस्खों को अपना कर आप पुरानी से पुरानी नकसीर से छुटकारा पा सकते हैं। गांवों और देहातों में आज भी इन 100 फीसदी कारगर नुस्खों को प्रयोग में लाया जाता है

तुरन्त नकसीर बन्द करने के लिए-

1. थोड़ा सा सुहागा पानी में घोलकर नथूनों पर लगाऐं नकसीर तुरन्त बन्द हो जाएगी।

2. जिस व्यक्ति को नकसीर चल रही है उसे बिठाकर सिर पर ठण्डे पानी की धार डालते हुए सिर भिगों दें। बाद में थोड़ी पीली मिट्टी को भिगोकर सुंघाने से नकसीर तुरन्त बन्द हो जाएगी।

3) प्याज को काटकर नाक के पास रखें और सूंघें।

4) काली मिट्टी पर पानी छिड़ककर इसकी खुशबू सूंघें।

5) रुई के फाए को सफेद सिरका में भिगोकर उस नथुने में रखें, जिससे खून बह रहा हो।

6) जब नाक से खून बह रहा हो तो कुर्सी पर बिना टेका लिए बैठ जाएं, नाक की बजाय मुंह से सांस लें।7) किसी भी प्रकार के धूम्रपान (एक्टिव या पैसिव दोनों) से बचें।

पित्त शामक ''अच्युताय गुलकंद''का सेवन करे और साफ हरे धनिए की पत्तियों के रस की कुछ बूंदें नाक में डाल लें।

9) शीशम या पीपल के पत्तों को पीसकर या कूटकर , उसका रस नाक में 4-5 बूँद ड़ाल दिया जाए तो एक क्षण में में ही तुरंत आराम आता है .

10) अगर लगातार शीशम के पत्ते पीसकर उनका शर्बत सवेरे शाम पीया जाए तो नकसीर की समस्या पूरी तरह खत्म हो जाती है .

11) ठंडी तासीर वालों को इसमें काली मिर्च मिला लेनी चाहिए . बिल्व ( बेल) के पत्ते भी साथ में डालकर शरबत पीने से और भी अधिक लाभ होता है .

पुरानी नकसीर की बीमारी को हमेशा के लिए बन्द करने के लिए-

करीब 20 ग्राम मुल्तानी मिट्टी को कूट कर रात के समय मिट्टी के बर्तन में करीब एक गिलासपानी में डालकर भिगो दें। सुबह पानी को निथारकर छान लें। इस साफ पानी को दो तीन दिन पिलाने से वर्षों का पुराना रोग हमेशा के लिए खत्म हो जाता है।

विशेष- बच्चों को इस पानी में मिश्री या बताशा मिलाकर पिलाने से किसी भी तरह की नकसीर हमेशा के लिए बन्द हो जाती है।

अनुलोम- विलोम प्राणायाम प्रतिदिन सवेरे शाम खाली पेट करते रहने से, नकसीर की समस्या, हो ही नहीं सकती . नकसीर की बीमारी से बचने के लिए गर्म चीज़ न खाएं . बैंगन इत्यादि कुछ सब्जियां भी गर्म होती हैं ; इनके सेवन से बचें .पित्त शामक अच्युताय गुलकंद(AchyutayaGulkand) का नियमित सुबह-शाम सेवन करे
=============
मुँहासों का घरेलू इलाज----------------------------------

* मुँहासे खूबसूरत चेहरे पर लगे धब्बे हैं,अतः इनसे निजात पाना जरूरी है। इसके लिएसुविधानुसार कोई भी तरीका चुना जा सकता है-

* नीम के साबुन से प्रतिदिन स्नान करेंअथवा पानी में दो-चार बूँद डेटॉल डालकर स्नानकरें।

* चंदन में गुलाब जल डालकर उसका लेप लगानेसे भी लाभ होता है। मुँहासों पर आधे घंटे तकयह लगा रहने दें। फिर साफ ठंडे पानी से धो लें।प्रतिदिन इस क्रिया को दोहराएँ। पंद्रह

दिनों में काफी फर्क पड़ जाएगा।* थोड़ा सा चंदन और एक-दो पत्ती केसरपानी के साथ घिसकर प्रतिदिन आधे घंटे तकमुँहासों पर लगाएँ। तत्पश्चात चेहरा साफ-ठंडेपानी से धो लें।

* पुदीने को पीसकर मुँहासों पर लगाने सेभी लाभ होता है। ऐसा प्रतिदिन आधे घंटे तक15 दिनों तक करना चाहिए।

* तुलसी के पत्तों के रस में टमाटरों का रसमिलाकर लगाने से मुँहासों में लाभ होता है।

* चेहरे पर नींबू रगड़ने से भी मुँहासे दूर होते हैं।
=========
सफेद बालों के लिए घरेलू उपचार---------------------------Nature Care


**कुछ दिनों तक, नहाने से पहलेरोजाना सिर में प्याज का पेस्टलगाएं। बाल सफेद से काले होनेलगेंगे।**आधा कप दही में चुटकी भरकाली मिर्च और चम्मच भरनींबू रस मिलाकर बालों मेंलगाए। 15 मिनट बाद बालधो लें। बाल सफेद से काले होनेलगेंगे।**नीबू के रस में आंवला पाउडरमिलाकर सिर पर लगाने से सफेदबाल काले हो जाते हैं।तिल खाएं। इसका तेलभी बालों को काला करने में कारगरहै।
=========
-पैर के तलवे मेंजलनहो रही हो तो लौकी को काटकर तलवे पर मलें।
====
બની આઝાદ – ખાન,પાન

આપણા અસ્તિત્વનું પાયાનૂ હોવાપણૂં એટલે આપણું શરીર. એમાં પાચ ઈન્દ્રિયો મારફત જાતજાતની ચીજો અંદર જતી હોય છે. આમાંની – નાક, કાન, આંખો અને ચામડી – એની વાત આગળ ઉપર.

અહીં મોં મારફત શરીરના પોષણ અને વૃદ્ધિ માટે અંદર જતા ખોરાકની વાત કરવાની છે.

આખું આહારશાસ્ત્ર આ માટે મોજૂદ છે – એમાં વધારો શો કરવાનો? અને તે પણ જે એનો નિષ્ણાત નથી , એવા જણ વડે?

આખી જિંદગી આ બાબત સાવ અવગણી, તેના માઠાં પરિણામો ભોગવ્યા બાદ ; માત્ર અહીં પ્રયત્ન છે - આચરણ કરવા માંડેલા થોડાંક અનુશાસનો – ખાનપાનની શિસ્ત. આમાં ઘણા બધા ઉમેરા અને શુધારાને અલબત્ત અવકાશ છે જ; એ નોંધીને, અને ઠીક લાગે તો જ એનો અમલ કરવા આમંત્રણ છે. [ અનુશાસન શબ્દ શિસ્ત કરતાં થોડોક ઓછો અપ્રિય છે! ]

પેટ દબાવીને ન ખાવું. થોડીક જગ્યા હમ્મેશ બાકી રાખવી. કદાચ ક્યાંક બહુ મનભાવન ખાણી પીણી મળી જાય; તો તેના પછીનું ભોજન ટાળવું.જમણ દરમિયાન અને પત્યા બાદના એક કલાક સુધી, પાણી ન પીવું- સિવાય કે, મોં ચોખ્ખું કરવા પૂરતું ચાંગળું પાણી જ.સવારે નાસ્તો અચૂક કરવો.સાંજે સાત વાગ્યા બાદ કશું ખાવું કે પીવું નહીં – પાણી પણ નહીં. ઊંઘ સારી આવશે.દિવસ દરમિયાન બને એટલું પાણી વધારે પીવું.રોજ એક કે બે ફળ ખાવાની ટેવ રાખવી – જમ્યા બાદ કે જમણ સાથે કદી નહીં. બની શકે તો નયણા કોઠે.પોતપોતાના સ્વાસ્થ્યને અનુરૂપ અથવા ડોક્ટરના સૂચન મુજબ ખોરાક લેવો.કસરત કરવાના બે કલાક પહેલાં કશું ખાવું નહીં.ખાણી પીણી જીભના ચટાકા માટે કરવાની ના નથી; પણ એ જમણ કે પીણાંની સાથે એનાથી આપણા પાયાના એકમ જેવા અને આપણા હોવાપણાના વફાદાર સૈનિક જેવા શરીરનાં અવયવો જે સેવા આપે છે – તે માટે આભારની લાગણી અને ‘આ ખોરાક એની સેવા છે.’ એવો ભાવ સેવવો.એ સાથે અનેકોનાં પ્રદાન થકી આ ચીજો આપણા સુધી પહોંચી છે; તે માટે તે સૌને માટે આભારની લાગણી પણ સેવતા રહેવું.અને સૌથી અગત્યનું…

જમવાની પહેલાંની એક ક્ષણ – આ સંકલ્પ યાદ કરી લેવો…

હું કાંઈ નથી.મારું કશું નથી.મારે કશું જોઈતું નથી.

ભલે જમીએ પણ એ પાયાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો સન્નિષ્ઠ પ્રયાસ છે; અને જે ચીજ આરોગીએ છીએ, તે અનેક જીવોના સહકારથી આપણા સુધી પહોંચ્યો છે; એમના આપણે આભારી છીએ – એ ભાવ સેવતા રહીને
==============
welcome to our page don't' forget to like us.https://www.facebook.com/MAHUVA364290


https://www.facebook.com/MAHUVA364290/photos_albumshttps://www.facebook.com/MAHUVA364290/noteshttps://www.facebook.com/MAHUVA364290/info


हमारे पेज में आपका स्वागत है 'हमें पसंद करने के लिए मत भूलना.https://www.facebook.com/MAHUVA364290


અમારા પાનાં પર આપનું સ્વાગત છે અમને પસંદ કરવાનું ભૂલશો નહીં.https://www.facebook.com/MAHUVA364290


મહુવા ના પેજ પર આપનું સ્વાગત છે પેજ ને લાઇક આપવા નુ ભુલશો નહી.


 Friends,Your Likes, comments and shares our enthusiasm to support rupee rises and more and more we strive to provide fun and interesting information ..


दोस्तो,आपकी पसंद, टिप्पणी और समर्थन करने के लिए शेयरों हमारे उत्साहरुपया बढ़ जाता है और अधिक से अधिक हम मजेदार और रोचक जानकारी प्रदान करने के लिए प्रयास करते हैं ..


 http://i.imgur.com/0CxjSNo.gif http://i.imgur.com/6prqF04.gif http://i.imgur.com/PNr3oPd.gif

અહી મુકવામા આવતી પોસ્ટ ઘણી બધી વેબ સાઇટ પરથી લઇ સંકલીત કરવામા આવી છે.અહી બધાનું નામ જણાવવું શક્ય નથી પરંતુ એ બધા જ મિત્રો (અને વેબ સાઇટ) નો આભારી છું જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે

8.10.13

સ્વાર્થી -અપ્રમાણિક વ્યક્તિને કુદરત બચાવતી નથી

welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
====-------------------------------------------------

સ્વાર્થી -અપ્રમાણિક વ્યક્તિને કુદરત બચાવતી નથી: વૈજ્ઞાનિકો

- વિના સહકાર નહીં ઉદ્ધાર
- અમેરિકાના વૈજ્ઞાનિકોનું ભારતીય ધર્મગ્રંથોમાં કહેવાયેલી વાતનું સમર્થન
 વોશિંગટન, તા. ૨
મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના બે ઉત્ક્રાંતિ જીવ વૈજ્ઞાનિકોએ  તારણ કાઢયું છે કે ઉત્ક્રાંતિ સ્વાર્થીઓને મદદ કરતી નથી. તેમણે આ સંદર્ભમાં નવા પુરાવા રજૂ કર્યા છે. ૨૦૧૨માં લોકપ્રિય બનેલી થિયરી સાથે તે સંમત નથી.
એમએસયુના માઇક્રોબાયોલોજી અને મોલેકયુલર જિનેટિક્સના  પ્રોફેસર ક્રિસ્ટોફ અડામીએ જણાવ્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે જો તમે સ્વાર્થી અને અપ્રમાણિક હશો તો ઉત્ક્રાંતિ તમને સજા આપશે.
તેમણે જણાવ્યું હતું કે ટૂંકા સમય માટે અને પ્રતિસ્પર્ધીઓના ચોક્કસ સમૂહની વિરુદ્ધ કેટલાક સ્વાર્થી સજીવો આગળ રહી શકે પરંતુ સ્વાર્થીપણું ઉત્ક્રાંતિની દષ્ટિએ સતત ટકી શકશે નહીં.
જીવવિજ્ઞાાન, અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાાન અને અન્ય શાખાઓમાં ઉપયોગમાં લેવાતી ગેમ થિયરી અંગે આ પેપરો રજૂ કરવામાં આવ્યા હતાં.
છેલ્લા ૩૦ વર્ષોમાં થયેલા સંશોધનમાં સહકાર પર ભાર મૂકવામાં આવ્યો હતો. એક કોષીય સજીવોથી લઇને લોકો સુધીના જીવનમાં સહકાર ઘણા સ્વરૃપે જોવા મળે છે. ૨૦૧૨માં એક વૈજ્ઞાાનિક પેપરમાં ઝીરો-ડિટરમિનન્ટની થિયરી રજૂ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સ્વાર્થી જીવો ચોક્કસપણે સહકારી જીવોને હરાવી શકે છે. આ પેપરથી વિવાદ ઉભો થયો હતો.
તેમણે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં ૩૦ વર્ષથી સંશોધન ચાલતું હોવા છતાં મુખ્ય પરિણામ તદ્દન નવું છે. આ સંશોધન નેચર નામના મેગેઝિનના તાજેતરના અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
અડામી અને હિન્ટ્ઝને ઝીરો ડિટરમિનન્ટ થિયરી સામે શંકા હતી. તેથી તેમણે હજારો ગેમો ચલાવવા માટે ઉચ્ચ સ્તરીય કોમ્પ્યૂટરનો ઉપયોગ કર્યો હતો. જેમાં તેમને જાણવા મળ્યું કે ઝેડી થિયરી કયારેય પણ ઉત્ક્રાંતિની પેદાશ હોઇ શકે નહીં.