Opposite Food Can Be Poison Be ScienceAlert
સાવધાન! આ ખોરાકોનો ‘કુમેળ’ શરીર માટે બનશે ઝેર! તો શું ખાવું..?
આજના સમયમાં દિન-પ્રતિદન બીમારીઓ વધવાનું કારણ આપણે પોતે જ છીએ કારણ કે આપણે જે ભોજન કરીએ છીએ તે કોઈપણ દ્રષ્ટિએ આપણા માટે સારું નથી હોતુ અને તેનું સૌથી મોટું કારણ છે બેમેળ ભોજન. આ બેમેળ ભોજન શું છે? એન્ટી અર્થાત્ વિપરિત ખાદ્ય પદાર્થોને એકીસાથે લેવાને જ બેમેળ ભોજન કહે છે. આ પ્રકારનું ભોજન લેવાથી આપણા શરીરમાં વિભિન્ન પ્રકારના વિકાર ઉત્પન્ન થાય છે જેમાં ખાટ્ટા ઓડકાર આવવા, ઊલટી આવવી, ગેસ બનવો વગેરે. હવે આવે છે વિપરિત ભોજમાં શું-શું આવે છે. દહીં અને મૂળા વિપરિત ભોજન છે અર્થાત્ આ એકબીજાના એન્ટી છે એટલા માટે દહીંની સાથે મૂળા ખાવાથી ગેસ બને છે.
આગળ વાંચો કયા ખોરાક સાથે ન ખાવા જોઈએ તથા કયા ખોરાક સાથે ખાઈ શકાય છે....
તેનું સીધુ કારણ છે કે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનો એકબીજા સાથે મેળ નથી. તમે વિચારશો કે જો પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટમાં મેળ ન હોય તો ભોજમાં દાળ-ચોખા શા માટે લે છે? જ્યારે બંને એકબીજાના એન્ટી છે. તેનો સીધો જવાબ છે કે જ્યારે આપણે દાળ-ચોખા એકબીજા સાથે ખાઈએ છીએ તો તે વખતે દાળની માત્રા ખૂબ જ ઓછી હોય છે અને ચોખાની માત્રા વધુ હોય છે તેની સાથે જ તેમાં આપણે બીજા પ્રકારના શાક પણ ઉપયોગ કરીએ છીએ. તેનાથી શું થાય છે કે આ બંનેની સાથે સેવન કરવાથી જે નુકસાન થાય છે તે શાકભાજી દ્વારા ઓબઝર્વ કરી લેવામાં આવે છે.
હવે જાણો વિપરિત ભોજનમાં કયા ખાદ્ય પદાર્થોની સાથે કયા ખાદ્યા પદાર્થો ન લેવા જોઈએ....
-દૂધની સાથે દહીં ન લેવું જોઈએ.
-દૂધ કે દહીંની સાથે મૂળા ન ખાવા જોઈએ.
-દૂધ અને દહીંની સાથે કેળા ન લેવા જોઈએ.
-મધની સાથે ગરમ પાણી અને અન્ય ગરમ પદાર્થો ન લેવા જોઈએ.
-મધ અને મૂળાને એકીસાથે ન લેવા જોઈએ.
-ખિચડી અને ખીર એકીસાથે ન લેવા જોઈએ.
-દૂધની સાથે ટેટી, તરબૂચ, કાકડી કે ચીભડા ન ખાવા જોઈએ.
-અડદની સાથે મૂળા ન ખાવા જોઈએ.
-દહીં અને જાંબુ એકીસાથે ન ખાઓ.
-દહીની સાથે ટેટી ન ખાવી જોઈએ.
-ફળોની સાથે શાકભાજી ન ખાવી જોઈએ.
-રાત્રે મૂળા અને દહીં ન ખાઓ.
-દહીં ગરમ કરીને ન ખાઓ.
-કાંસાના વાસણાં દસ દિવસ રાખેલુ ઘી ન ખાઓ.
-દાળોની સાથે શક્કરરીયા, બટાકા, રતાળુ ન ખાઓ.
-તરબૂચ કે ટેટીની સાથે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ ન લેવા જોઈએ.
-દાળ અને ચોખા એકીસાથે ન ખાવા જોઈએ.
-દૂધ અને દહીંની સાથે રોટલી ન ખાઓ.
-રોટલીની સાથે આમલી ન ખાઓ.
-જો રોટલી અને ચોખાની સાથે દાળ ખાવી હોય તો તે વખતે વધુ માત્રામાં કાચા શાકભાજીનું પણ સેવન કરવું જોઈએ.
-શાકભાજી ફળ, અથાણુ, દહીં, મિઠાઈ, પાપડ વગેરે એકીસાથે ન ખાવા જોઈએ.
આપણે કયા ખાદ્યાપદાર્થ સાથે કયા ખાદ્યપદાર્થો લઈ શકીએ છીએઃ-
-કેરી અને ગાયના દૂધને સાથે લઈ શકાય છે.
-દૂધ અને ખજૂર સાથે લઈ શકાય.
આગળ વાંચો વધુ
-રોટલીની સાથે લીલા પત્તાવાળી શાકભાજી ખાઓ.
-અંકુરિત દાળ ને કાચા નારિયેળ સાથે ખાઈ શકાય.-રોટલીની સાથે લીલા પત્તાવાળી શાકભાજી ખાઓ.
-અંકુરિત દાળ ને કાચા નારિયેળ સાથે ખાઈ શકાય.
-ચોખા અને નારિયળના ટુકડા સાથે ખાઈ શકાય.
-દાળ અને દહીને એકીસાથે ખાઈ શકાય છે.
-જામફળ અને વરિયાળી એકીસાથે ખાઈ શકાય.
-તરબૂચની સાથે મૂળાના પત્તા લઈ શકાય.
-ચીલ અને મેથીની ભાજીને એકીસાથે ખાઈ શકાય.
-કેળા અને નાની ઈલાયચી સાથે ખાઈ શકાય.
-ગાજર અને મેથીનું શાક ખાઈ શકાય.
શાક અને ખીચડીને સાથે ખાઈ શકાય.
-ફળ અને અલ્પમાત્રામાં માવાનું સેવન યોગ્ય રહે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290